SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યકાર-વિચારકને દશ-પંદર હજાર રૂબલ મળતા હતા. આમ આ ન્યૂનતમ મયદા તો નક્કી કરી શકાય છે, કે દરેક વ્યક્તિને ઓછામાં ઓછી આટલી આવક તો મળવી જ જોઈએ, પરંતુ સમાનતાની વાત બધે લાગુ નથી કરી શકાતી. સમાજવ્યવસ્થામાં સમાનતા અને અ-સમાનતા બંનેનું મૂલ્ય છે. જીવનની જે મૂળ જરૂરિયાતો છે તે દરેકની એક સમાન છે અને તેમની પૂર્તિ સમાનતાના ધોરણે થવી જોઈએ. જ્યાં વ્યવસ્થાનો પ્રશ્ન છે, ન્યાયનો પ્રશ્ન છે, બુદ્ધિ અને કૌશલનો પ્રશ્ન છે, ત્યાં સમાનતાની વાત ક્યારેય શક્ય બની શકતી નથી. અનેકાન્તવાદ પર આધારિત સમાજવ્યવસ્થાનો મહત્ત્વપૂર્ણ અભિગમ છે : સમાનતા અને અસમાનતાનું ઔચિત્યપૂર્ણ સામંજસ્ય. સહયોગ સમાજવ્યવસ્થાનું ત્રીજું સૂત્ર છે : સહયોગ. જો સહયોગ ન હોય, તો સમાજ શું છે ? બે વ્યક્તિ સાથે રહે, તો એકબીજાનો સહયોગ હોવો જોઈએ. સમાજવ્યવસ્થાનો આ મૂળ આધાર છે. પાંચ વ્યક્તિ સાથે રહે છે અને પાંચેય વચ્ચે સહયોગ ન હોય તો દરેકની આગળ અલ્પવિરામ લાગશે. આપણે આ વાતને ગણિતની ભાષામાં સમજીએ.- ૧,૧,૧- આમ અલ્પવિરામ લાગવાથી ત્રણ એકડા બને છે પરંતુ જો અલ્પવિરામ હટાવી દેવાય, તો ૧૧૧ ( એકસો અગિયાર ) બની જાય છે. જ્યાં અલ્પવિરામ અને પૂર્ણવિરામ લાગે છે, ત્યાં સમાજ રચાતો નથી. અને જ્યાં સમાજરચના હશે, ત્યાં અલ્પવિરામ અને પૂર્ણવિરામ નથી હોતાં, ત્યાં જોવા મળે છે ઃ એકસૂત્રતા અને સહયોગ. એ ભારે ચિંતાનો વિષય છે કે બે વ્યક્તિ સાથે રહે અને એકબીજાને સહયોગ ન આપે. એનો અર્થ એ થાય કે તેઓ સમાજનું મૂલ્ય નથી સમજતા, સાથે રહેવાની ઉપયોગિતા નથી જાણતા. જેના દર્શનની પરિભાષા છે : એક પરમાણુ એક આકાશ પ્રદેશમાં અવગાઢ છે, પરંતુ તે સ્કંધ નથી. એક આકાશ પ્રદેશમાં અનંત પ્રાદેશિક સ્કંધ પણ હોય છે અને પરમાણુ પણ અનંત પરમાણુ છે, પણ તે સ્કંધ નથી બનતા. જ્યાં સુધી યોગ નથી થતો, બંધ નથી ત્યાં સુધી પરમાણુ સ્કંધ નથી બની શકતા. સમાજ ત્યારે જ રચાય છે, જ્યારે અસહયોગ હોય છે, સહયોગ હોય છે. જરૂરી છે અસહયોગ પણ સમ્યક સમાજ-વ્યવસ્થા માટે સહયોગ જેટલો અગત્યનો છે, જરૂરી છે. તેટલો જ અસહયોગ પણ જરૂરી છે. મહાત્મા ગાંધીએ કહેલું, અસહયોગ કરો, વિનયપૂર્વક અસહયોગ કરો.' એક સાધકનું શરીર જો લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy