________________
(૨) અનWહિંસાઃ પ્રયોજનશૂન્ય કે આક્રમક સંકલ્પથી થતી હિંસા. પછીના આચાર્યોએ હિંસાને ત્રણ ભાગમાં વહેંચી દીધી છે ? (૧) આરંભના હિંસાઃ જીવનને ચલાવવા થતી હિસ્ય. (૨) વિરોધજા હિંસા રક્ષણ માટે આચરવામાં આવતી હિં. (૩) સંકલ્પના હિંસા : આક્રમક હિંસા. અહિંસક સમાજ:
અહિંસક સમાજ એ કહેવાય, જેમાં સંકલ્પજા અથવા આક્રમક હિંસાના દરવાજા બંધ હોય. જાતીય ઉન્માદ, સાંપ્રદાયિક અભિનિવેશ, શોષણ, બીજાની સ્વતંત્રતા પર તરાપ, અધિકાર અને સ્વત્વનું અપહરણ, જીવિકાનું વિચ્છેદન, સામ્રાજ્યવાદી મનોવૃત્તિ વગેરે આક્રમક હિંસાનો પરિવાર છે. આક્રમક હિંસાથી મુક્ત સમાજને અહિંસક સમાજની અભિધાથી અભિહિત કરી શકાય છે. પ્રતિરક્ષણાત્મક હિંસાથી બચવા માટે અહિંસાત્મક પ્રતિરોધનું પ્રશિક્ષણ આપી શકાય છે, પરંતુ આક્રમક હિંસાથી છૂટકારાની જેમ પ્રતિરક્ષણાત્મક હિંસાથી છૂટકારાની શરતને એની સાથે જોડી શકાય નહિ.
પરિગ્રહ હોય અને પ્રતિરક્ષણાત્મક હિંસા ન હોય, આ એક જટિલ પ્રશ્ન છે. તેની જટિલતાને ઓછી કરવા માટે અહિંસાત્મક પ્રતિરોધનું પ્રશિક્ષણ પ્રતિ-૨ક્ષણના વિકલ્પરૂપે આપી શકાય છે, જીવનયાત્રામાં હિંસા અનિવાર્ય રૂપે વણાઈ ગઈ છે, પરંતુ તેમ છતાં, અનાવશ્યક હિંસા ન થાય તેનું પ્રશિક્ષણ અનિવાર્ય છે. ભૂમિ, જલ અને ઝાડ-છોડ પ્રત્યે થતી બિન-જરૂરી પ્રવૃત્તિએ પર્યાવરણ-પ્રદૂષણની સમસ્યા પેદા કરી છે, સૃષ્ટિનાસંતુલનને નષ્ટ કરી દીધું છે.
અહિંસાઃ અસ્તિત્વ અને વિકાસ શિક્ષણ માનવીય વિકાસ માટે છે. અહિંસાનો પ્રશ્ન માનવીય અસ્તિત્વ સાથે જોડાયેલો છે. અસ્તિત્વ જો સુરક્ષિત રહે, તો જ વિકાસની સંભાવના વિચારી શકાય. એટલા માટે જ, શિક્ષણ અને અહિંસા વચ્ચે ગાઢ સંબંધ જરૂરી છે, જેનાથી અસ્તિત્વ અને વિકાસ- બંનેની પરંપરા સુરક્ષિત રહી શકે. આ સંદર્ભે મૂલ્ય-આધારિત શિક્ષણ અથવા જીવનવિજ્ઞાન વર્તમાન યુગની અનિવાર્યતા છે. અહિંસા સર્વોપરિ મૂલ્ય છે. અહિંસાના પ્રતિષ્ઠિત થઈ જવાથી બાકીનાં તમામ મૂલ્યો પ્રતિષ્ઠિત થઈ જાય છે. અહિંસાની ગેરહાજરીમાં બાકીનાં બધાં જ મૂલ્યો વિઘટિત થઈ જાય છે. ભારતીય દર્શનશાસ્ત્રમાં પાંચ મૂલ્યોની સ્વીકૃતિ મળે છે. હકીકતમાં, સત્ય વગેરે ચાર મૂલ્યો અહિંસાની સુરક્ષા માટે જ છે. કહેવાયું
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org