________________
પણ છે ઃ મહિસા યસ : પામૂિતાન્યન્યવ્રતાનિ યત્ ।
અસત્ય વચન હિંસા જ છે, ચોરી હિંસા છે, કામ-વાસના હિંસા છે અને સંગ્રહ પણ હિંસા છે. અહિંસાનો વિકાસ થતાં, સત્ય, અચૌર્ય (અસ્તેય), બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો આપોઆપ જ વિકાસ થાય છે. મૂલ્યનો સ્રોત
મૂલ્યપરક શિક્ષણમાં શું મૂલ્યના સ્રોત વિશે વિચાર કરવો જરૂરી નથી ? સહિષ્ણુતા, મૃદુતા, અહંકાર-વિલય, ઋજુતા, અમૂર્છા, અનાસક્તિ આ પાંચેય મૂલ્યોના સ્રોત છે. હિંસાનાં મુખ્ય કારણ ચાર છે ઃ ક્રોધ, માન, માયા અને લોભ. એમનો પરિષ્કાર જ અહિંસાની પ્રતિષ્ઠાનું મૂળ કારણ બની રહે છે.
જરૂરી છે સમન્વય
મૂલ્યપરક શિક્ષણ કેવળ બૌદ્ધિક વિકાસની પ્રક્રિયા માટે જ નથી, તેના માટે મગજના એવા ભાગો (પ્રકોષ્ઠો)ને જાગૃત કરવા જરૂરી છે, જે આધ્યાત્મિક અથવા ચારિત્રિક વિકાસ માટે જવાબદાર છે. વર્તમાન શિક્ષણપદ્ધતિમાં આવા ભાગોની જાગૃતિ પર ધ્યાન આપવામાં આવતું નથી. પૃથ્વી પરના વાતાવ૨ણ અને માનવીય અસ્તિત્વની સુરક્ષા માટે આ વિષય પર ધ્યાન અપાતું રહે, તે ખૂબ જરૂરી છે, અને મૂલ્યપરક શિક્ષણ દ્વારા નવા સમાજ અને નવી વ્યક્તિની રચનાની દિશામાં આપણાં કદમ આગળ વધો,
નવીન માનવીના નિર્માણનું લક્ષ્ય સંવેગ-સંતુલનની અભ્યાસપદ્ધતિ ૫૨ નિર્ભર છે. બીજાની સ્વતંત્રતાનું સન્માન, બીજાની સમસ્યાને સમજવાનો પ્રયત્ન, અને બધાંની સાથે સમાનતાનો વ્યવહાર તે જ વ્યક્તિ કરી શકે, જેણે પોતાના સંવેગોને સંતુલિત ક૨વાનો અભ્યાસ કર્યો હોય. માત્ર સિદ્ધાંતથી જ લક્ષ્ય સુધી નથી પહોંચાતું, એટલે સૈદ્ધાંતિક શિક્ષણની સાથે સાથે પ્રાયોગિક શિક્ષણનો સમન્વય જરૂરી છે. આત્મ-નિરીક્ષણ, આત્મ-પરીક્ષણ, અને આત્મ-દર્શન સૌ કોઈ માટે જરૂરી છે. એમના માટે વિશેષ જરૂરી છે, જેઓ સમાજનું નેતૃત્વ કરે છે, સત્તા અને શક્તિના સિંહાસને બેઠેલા છે.
Jain Education International
લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ – ૧૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org