________________
કેવી રીતે છે ? પદાર્થ જીવન હોઈ શકે છે, અન્ન-પાણી જીવન હોઈ શકે છે, સંયમ જીવન કઈ રીતે હોઈ શકે? આજની સમસ્યા પર વિચાર કરીએ તો આ ઘોષણા ખૂબ સ્પષ્ટ જણાઈ આવે છે. વાસ્તવમાં સંયમ જ જીવન છે. સંયમ રાખીશું તો જીવન ચાલશે. જો અસંયમ વધતો જ ચાલ્યો, તો માણસની જ નહિ, સમગ્ર સૃષ્ટિની હિંસાનો પ્રસંગ આવી શકે છે. આજે એ અનિવાર્ય બન્યું છે કે, આપણે પર્યાવરણ, અહિંસા અને સંયમનું મૂલ્ય સમજીએ. કેવળ ધાર્મિક જગતનો જ નહિ, પરંતુ સમગ્ર માનવજાતિ અને પ્રાણી જગતુનો પ્રશ્ન છે. આના પર ગંભીર વિચારણા કરીને જ, ચિંતન, મનન, મંથન, અનુશીલન અને પ્રયોગ કરીને અસંતુલન, અને પર્યાવરણનું પ્રદૂષણ વગેરે સમસ્યાના ઉકેલ મેળવી શકાય તેમ છે.
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org