________________
શિક્ષણ અને અહિંસા
સ્વતંત્રતા અને અનુશાસન (
શિસ્ત)- આ બંને નૈસર્ગિક મૂલ્યો છે. આ મૂળભૂત મૂલ્યોને આધારે જ બીજાં મૂલ્યોનો વિકાસ થાય છે. મૂલ્યનો અર્થ છે : આચરણ અને વ્યવહાર. આચરણ પર-નિરપેક્ષ અને પર-સાપેક્ષ બે પ્રકારનાં હોય છે. વ્યવહાર કેવળ પર-સાપેક્ષ હોય છે. કેવળ અનુશાસનની ચેતનામાં મૂલ્યોની આંતરિક ચેતના પ્રદર્શિત નથી થતી. કેવળ સ્વતંત્રતાની ચેતનામાં આંતરિક મૂલ્યોને પ્રદર્શિત કરવાનો વિવેક જાગૃત નથી થતો.
મૂલ્યની વ્યાખ્યા મનુષ્યનો વ્યવહાર ત્રણ કારણોસર થાય છે ? (૧) પ્રવૃત્તિહેતુક (૨) નિવૃત્તિહેતુક (૩) ઉપેક્ષાહતુક
ઉપાદેય માટે પ્રવૃત્તિ, હેયથી નિવૃત્તિ અને ઉપેક્ષણીયની ઉપેક્ષા કરવી- એ પ્રમાણનાં ફળ છે. આ પ્રમાણ-શાસ્ત્રનો સિદ્ધાંત છે.
મૂલ્યની વ્યાખ્યા માટે આ પ્રમાણશાસ્ત્રીય સિદ્ધાંત પર્યાપ્ત છે. ઉપાદેય માટે પ્રવૃત્તિ ન કરવી, હેયથી નિવૃત્તિ ન કરવી અને ઉપેક્ષણીયની ઉપેક્ષા ન કરવી- આ વ્યવહારનો વિપર્યય છે. આ વિપર્યયને મિટાવીને સમ્યક ચેતનાને જાગૃત કરવા માટે મૂલ્ય ચેતનાને જાગૃત કરવાનું પ્રશિક્ષણ જરૂરી છે. શિક્ષણનું આ અનિવાર્ય અંગ છે. જે શિક્ષણ મૂલ્યચેતનાને ન જગાડે, તે શિક્ષણને શિક્ષણ માટેના પવિત્ર આસન ઉપર બિરાજમાન થવાનો અધિકાર નથી.
ચેતનાના ત્રણ પ્રકાર છે માનવીય ચેતનાના ત્રણ પ્રકાર છે? (૧) પદાર્થ ચેતના
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજD ૧૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org