________________
માનસિક પ્રદૂષણ. પ્રદૂષણનો ભય માનવીના પોતાના અસંયમને કારણે પેદા થયો છે. આજે દરેક બાબતમાં અસંયમ છે. જ્યારે આપણે રૂપચંદજી શેઠિયા, મહાત્મા ગાંધી જેવાનાં જીવનમાં નજર કરીએ ત્યારે એ ચિંતન જાગે છે કે તેઓ નાનીનાની વાતો પર કેવું ધ્યાન આપતા હતા ! દાતણ કરવા માટે લીમડાની નાની ડાળી તોડવાની હતી, તેના બદલે વિદેશી મહિલા મોટી ડાળી તોડી લાવી. આ જોઈને મહાત્મા ગાંધી તેમને વઢતાંલડતાં બોલ્યા, “જે કામ નાનકડી એક ડાળીથી ચાલે તેવું હતું, તે કામ માટે મોટી ડાળી શું કામ ? આ ખોટો બગાડ છે
એમનું શું થશે?
રૂપચંદજી શેઠિયા ફક્ત બાવન તોલા પાણીથી સ્નાન કરતા હતા. તેઓએ સ્નાનમાં આનાથી વધારે પાણી ક્યારેય નથી વાપર્યું. આજે એનાથી વિપરીત બની રહ્યું છે. નળ નીચે બેસીને એક માનવી પાણી આવે ત્યાં સુધી સ્નાન કરે છે. કેટલો બગાડ પાણીનો ! સ્નાન વધુ પાણીથી નથી થતું, ઘર્ષણથી થાય છે. પણ માનવી જાણવા છતાં અજાણ બનીને પાણીનો વ્યય કરે છે. જ્યાં સુધી આનો ઇલાજ નહિ કરાવાય, ત્યાં સુધી પ્રદૂષણ વધતું જ જશે. માનવીમાં આજે લોભ લાલચ વધતાં ચાલ્યાં છે. એમ માનવામાં આવે છે કે જેટલાં કારખાનાં વધશે, તેટલો વિકાસ વધશે. એવું જણાય છે કે, આ બાબતે ગંભીરતાથી વિચાર નથી થયો. કેટલી બધી જમીનનું શોષણ થઈ રહ્યું છે ! કેટલા બધા પદાર્થોનો ઉપભોગ અને સામે નવા પદાર્થોનું નિર્માણ થઈ રહેલ છે ? પાંચમી-સાતમી પેઢીનું કોઈએ કંઈ વિચાર્યું જ નથી. કોઈ એ વિચારતું જ નથી, કે એમનું શું થશે? એમના માટે શું બચશે ?
સંયમ જ જીવન છે
હકીકતમાં એ ઊંડી ચિંતાનો વિષય છે. આપણે એના પર ગંભીરતાથી વિચારીએ. આપણે પવિરણ-વિજ્ઞાનની સચ્ચાઈને સમજીએ. પદાર્થની સીમા છે, તે અસીમ નથી. ઉપભોક્તા વધારે અને પદાર્થ ઓછા. આ સ્થિતિમાં સંઘર્ષની વાત આવી જાય છે. આપણે એ વાત પર ધ્યાન આપીએ, પદાર્થની જો સીમા હોય, તો વાપરનારની ઇચ્છાની પણ સીમા હોવી જોઈએ. આપણે અનાવશ્યક પદાર્થોના ઉપયોગની ઈચ્છાઓ ન વધારીએ. પદાર્થની સીમા, ઉપભોક્તાની ઈચ્છા અને તેની સીમા તથા પદાર્થનો સંયમ- આ સિદ્ધાંતને સમજ્યા પછી જ પર્યાવરણમાં પ્રદૂષણની ચિંતાને મટાડી શકાય તેમ છે. આ બાબતે અણુવ્રતની ઘોષણા ઉપયોગી છેઃ સંચઃ વહુ નીવનમ્ ! ' - સંયમ જ જીવન છે. લોકો પૂછે છે, સંયમ જીવન
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૧૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org