________________
પર્યાવરણ વિજ્ઞાન અને અહિંસા
અહિંસાનો અભ્યાસ અત્યંત પ્રાચીન સમયથી ચાલી રહ્યો છે. હજારો-હજારો વર્ષોથી એના ચર્ચાઓ અને અનુશીલન થઈ રહ્યાં છે. અહિંસાની સમગ્રતાને જાણવા માટે પહેલાં શાસ્ત્રોનો અભ્યાસ થતો. આજે એની સાથે પર્યાવરણ-વિજ્ઞાનનો અભ્યાસ જરૂરી છે. અહિંસાનો અર્થ એટલો જ નથી કે, કોઈ જીવને ન મારશો. એનો અર્થ એનાથી આગળ, મારવાની સ્થિતિ પણ પેદા ન કરો, એવો થાય છે. એવું વાતાવરણ ન સર્જા, જેનાથી જીવ મરી જાય. એવી પરિસ્થિતિ પણ પેદા ન કરો, જેથી અજીવ (નિર્જીવ)પણ અસ્ત-વ્યસ્ત થઈ જાય. અહિંસા સાથે જેટલો સજીવ જોડાયો છે એટલો જ અજીવ પણ ! એક વ્યક્તિ ક્રોધમાં આવે અને તે પથ્થર ઉઠાવીને ફેકે, ભલે તેનાથી કોઈ પ્રાણી ન મરે, પણ તે હિંસા જ છે.
નિમિત્ત-વિજ્ઞાન
ભગવાન મહાવીરે પ્રત્યેક પ્રસંગની સાથે વાતાવારણ અને નિમિત્તને જોડ્યાં. આને નિમિત્તવિજ્ઞાન પણ કહે છે. નિમિત્તોને નષ્ટ ન કરો, કોઈ જીવને ન મારો, આ નિર્દેશ-સૂચનની સાથે સાથે એમ પણ કહ્યું કે જીવની ઉત્પાદકશક્તિને પણ નષ્ટ ન કરો. ભલે જીવ, નિર્જીવ બની ગયો હોય તો પણ તેને નષ્ટ ન કરો. આ વાત ઉપર ખૂબ ઝીણવટથી વિચાર કરાયો - દ્રવ્ય, કાળ, ક્ષેત્ર, ભાવ, પુગલ-પરિણામ- આ બધાં પરિવર્તનનાં નિમિત્ત બને છે.અહિંસાનો સિદ્ધાંત કેવળ ન મારવા સાથે જ નથી જોડાયો, પણ નિમિત્તો સાથે પણ જોડાયેલો છે. આ નિમિત્ત-વિજ્ઞાનનું અધ્યયન જ પર્યાવરણ વિજ્ઞાન છે.
પર્યાવરણનાં મૌલિક સૂત્ર
આજે પર્યાવરણ વિજ્ઞાન સમગ્ર વિશ્વને પ્રભાવિત કરી રહ્યું છે. તેનું મૂળ સૂત્ર છે, જીવ અને પદાર્થ એકબીજાને પ્રભાવિત કરે છે.
એનું બીજું સૂત્ર છે : આપણું ભૌતિક વાતાવરણ જીવો પર અને જીવ ભૌતિક વાતાવરણ પર આશ્રિત છે.
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org