________________
સીમા-હદ નક્કી કરવી જોઈએ, વ્યક્તિગત ભોગની પણ સીમા. અણુવ્રતની જીવનશૈલીમાં આ સમીકરણનું ખૂબ મૂલ્ય છે. આનાથી પદાર્થ પ્રત્યે થનારી સઘન મૂચ્છની જાળ તૂટે છે.
શિક્ષણ જીવન તરફ વળે
લોકતંત્રને દીર્ધાયુ બનાવવા માટે બે દિશાઓમાં પ્રસ્થાન જરૂરી છે. હિંસા અને પરિગ્રહ તરફ લોકોનો દષ્ટિકોણ બદલાય એવું પ્રશિક્ષણ, શિક્ષણની સાથે ચાલે. વર્તમાનમાં શિક્ષણ કેવળ વ્યવસાય, શિલ્પ, કલા, યાંત્રિક વિકાસ અને શારીરિક સ્વાથ્ય સાથે જોડાયેલું છે. તેનો માર્ગ બદલવો આવશ્યક છે. એનો પ્રવાહ ફક્ત આજીવિકા તરફ છે તે જીવન તરફ વળે. આર્થિક સ્પર્ધા અને સુવિધાવાદી દષ્ટિકોણે પોતાનાં ઊંડાં મૂળ જમાવ્યાં છે, તે નષ્ટ થવાં શકય નથી, પરંતુ ચેતનાની ફળદ્રુપ ભૂમિ પર જો હિંસા અને પરિગ્રહની સીમા-હદનાં બીજ વવાય તો એક સ્વસ્થ વિકલ્પ મળી શકે છે. લોકતંત્રને આની ખૂબ અપેક્ષા છે. અણુવ્રતનો પ્રયત્ન આ દિશામાં આગળ વધે અને શિક્ષણજગતને પણ તેમાં સહભાગી બનાવાય, તો માનવતાનું ભાવિ ઉજ્વળ છે.
- વર્તમાનમાં વ્યકિત, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ સમક્ષ અનેક પ્રશ્નો છે : જેમકે, માનસિક તનાવ, હિંસા, આતંકવાદ, નશાખોરી, અસહિષ્ણુતા વગેરે. અણુવ્રતનું જ્ઞાન અને પ્રયોગ એ પ્રશ્નોના સમાધાનનો એક માર્ગ છે. લોકતંત્રનું પ્રશિક્ષણ ફક્ત સિદ્ધાંતોથી ન થઈ શકે, પરંતુ સિદ્ધાંતોની સાથે અભ્યાસ અને આચરણથી તે શક્ય બને. આ નાનકડી વાત મહત્ત્વપૂર્ણ છે, તમામ લોકો તેનો અનુભવ કરે.
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org