________________
સવાંગીણ તથા સાપેક્ષ દષ્ટિકોણને વિકસાવવા માટે સાપેક્ષતાની અનુપ્રેક્ષા અપેક્ષિત છે.
* સમન્વય
દાર્શનિક પક્ષ કે કોઈપણ વિચાર સંપૂર્ણ સત્ય નથી. તે સત્યનો અંશ હોય છે. જેમ આપણે આપણા વિચારને જ સત્ય માની લઈએ છીએ, તેમ બીજાના વિચારમાં પણ સત્ય શોધીએ, શોધવાનો પ્રયત્ન કરીએ. પોતાના વિચારને સત્ય જ માનવાનો અને બીજાના વિચારને અસત્ય જ માનવાનો પ્રયત્ન એકતરફી- એકાંગી દષ્ટિકોણ છે- આગ્રહ છે. આ એકાંગી આગ્રહ માનવીને અસત્ય તરફ દોરી જાય છે. સત્યની શોધનો માર્ગ છે : અનાગ્રહ. અનાગ્રહી માનવી જ બે ભિન્ન વિચારોનો સમન્વય સાધી શકે છે.
વ્યવહાર પક્ષ : આગ્રહી મનોવૃત્તિ સાંપ્રદાયિક ઉત્તેજના માટે જવાબદાર છે. એક સમ્પ્રદાય બીજા સમ્પ્રદાયના સ્વીકૃત સત્ય અંશને સ્વીકારવા તૈયાર નથી. આચાર્ય વિનોબાએ લખ્યું છે, “હું કબૂલું છું કે મારા પર ગીતાની અસર ગાઢ છે, તે જ રીતે તે ગીતાને છોડીને મહાવીરથી વધારે અસર મારા ચિત્ત પર બીજી કોઈ નથી.” એનું કારણ એ જ છે કે મહાવીરે જે આજ્ઞા કરી છે, તે બાબાને પૂર્ણ રીતે માન્ય છે. મહાવીરની આજ્ઞા છે, “સત્યાગ્રહી બનો.' આજે જ્યાં-જ્યાં જ ઊભો થાય છે, તે સત્યાગ્રહી હોય છે. વિનોબાજીને પણ વ્યક્તિગત સત્યાગ્રહીને નાતે ગાંધીજીએ સમાજ સમક્ષ રજૂ કર્યા હતા. પરંતુ બાબા જાણતા હતા, કે તે પોતે કોણ છે. તે પોતાને સત્યાગ્રહી નહિ બલ્ક સત્યગ્રાહી માનતા હતા. દરેક માનવીની પાસે સત્યનો અંશ હોય છે, તેથી માનવ-જન્મ સાર્થક થઈ જાય છે. તમામ ધમમાં, પંથોમાં, બધા માનવોમાં સત્યનો જ અંશ છે, તેને ગ્રહણ કરવો જોઈએ. આપણે સત્યગ્રાહી- સત્યને સમજવાવાળાબનીએ, આ જ શિક્ષણ છે મહાવીરનું, જેની બાબા પર ગીતા પછી વધારે અસર છે.
સાધનાપક્ષ : રેપ્ટેલિયમ મસ્તિષ્કથી પ્રભાવિત વ્યક્તિ, સાંપ્રદાયિક અને જાતિય ધૃણા ફેલાવવામાં તૈયાર રહે છે. સાધના દ્વારા તેના પ્રભાવને ઓછો કરવામાં આવે છે. સમન્વયની ચેતનાના વિકાસ માટે સમન્વયની અનુપ્રેક્ષા ઉપયોગી છે.
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ ૧૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org