________________
૦ રુચિભેદ :- ઈન્દ્રિયોની સંવેદના દરેક માનવીની એકસરખી નથી હોતી. એક જ વસ્તુ કોઈના માટે સુખના સંવેદનનું કારણ બને છે, તો બીજા માટે દુઃખનું. સંવેદનની ભિન્નતામાં કોઈ જ સંઘર્ષ નથી. તેમાં સંઘર્ષની ચિનગારી ચાંપે છે “સંવેગ.'
o સ્વભાવભેદ :- જેટલા મનુષ્ય. એટલા સ્વભાવ. અલગ-અલગ દરેકની આદત અને સ્વભાવ. સ્વભાવભેદ માટે જવાબદાર છે, માનવીના આંતરિક વ્યક્તિત્વની-રચના. સ્વભાવભેદના કારણે જે સંઘર્ષ થાય છે, તેના માટે જવાબદાર છે સંવેગ.
o સંવેગભેદ: માણસ માણસ વચ્ચે થનારા ભેદનું મુખ્ય કારણ છે ? સંવેગ, પરંતુ તમામ લોકોમાં સંવેગો સમાન નથી હોતા. તેની અલગતા જ ભેદનું સર્જન કરે છે. સંવેગની તરતમતાના મુખ્ય પ્રકાર ત્રણ છે અને પેટા પ્રકાર નવ છે ?
૧. મૃદુ- અલ્પ માત્રાનો સંવેગ. ૨. મધ્ય- મધ્યમ માત્રાનો સંવેગ. ૩. તીવ્ર- અધિક માત્રાનો સંવેગ.
૧. મૃદુ સંવેગના પણ ત્રણ પ્રકાર છે : મૃદુ, મધ્યમૃદુ અને અધિમાત્ર-મૃદુ.
૨. મધ્યના સંવેગના પણ ત્રણ પ્રકાર છે : મધ્ય, મધ્યમધ્ય અને અતિ-માત્ર મધ્ય
૩. તીવ્રના ત્રણ પ્રકારમાં : તીવ્ર, મધ્યતીવ્ર અને અધિકાગ્રતીવ્ર મુખ્ય છે.
- મૃદુ સંવેગવાળી વ્યક્તિ શાંતિપૂર્ણ અને સહ-અસ્તિત્વમાં વિશ્વાસ કરનારી હોય છે. તે તોડ-ફોડ, ઝઘડા વગેરેમાં ભાગ નથી લેતી. અને આત્મહત્યા કે પરહત્યાનો વિચાર પણ નથી કરતી.
મધ્ય સંવેગવાળી વ્યક્તિ કલહ, ઉપદ્રવ, તોડફોડ વગેરેમાં પ્રવૃત્ત થતી નથી. મધ્ય સંવેગવાળી વ્યક્તિ વર્ણ અને જાતિના આધારે ધૃણા કરે. છે, આભડછેટમાં વિશ્વાસ કરે છે, ઊંચ-નીચની ભેદરેખાને વિસ્તાર છે.
અધિમાત્ર મધ્ય સંવેગવાળી વ્યક્તિ સાંપ્રદાયિક ઉત્તેજના ફેલાવે છે. અભિનિવેશવશ સામ્પ્રદાયિક સંઘર્ષની પરિસ્થિતિ પેદા કરે છે.
તીવ્ર સંવેગવાળી વ્યક્તિ આત્મહત્યા, પરહત્યા જેવાં હિંસાત્મક કાયોમાં પ્રવૃત્ત હોય છે.
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ ઘ૧૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org