________________
અનેકાંત અને અહિંસા
આપણું જગત તંદ્રાત્મક અથવા ભેદભેદાત્મક છે. અભેદ છૂપો રહે છે, અને ભેદ સામે આવે છે. માણસ-માણસ વચ્ચે અનેક પ્રકારના ભેદ
છે:
(૧) માન્યતાભેદ અથવા અવધારણાભેદ (૨) વિચારભેદ (૩) રુચિભેદ (૪) સ્વભાવભેદ (૫) સંવેગભેદ
૦ માન્યતાભેદઃ માન્યતાઓમાં ભિન્નતા, ભેદને આધારે અનેક સમ્પ્રદાય બન્યા છે, તેના અનુયાયીઓની સંખ્યા પણ વધવા માંડી છે. સાંપ્રદાયિક ભેદ એ વૈચારિક સ્વતંત્રતાનું લક્ષણ છે. મનુષ્ય યાંત્રિક નથી, તે ચિંતનશીલ પ્રાણી છે. તે પોતાની રીતે વિચારે છે, સિદ્ધાંતનું નિધરિણ કરે છે અને સ્વીકાર કરે છે
માનવી ચિંતનશીલ હોવા ઉપરાંત સંવેગયુક્ત પણ છે. કેમ કે, તે ફક્ત ચિંતનશીલ જ હોત તો ભેદ, ભેદ જ રહેત. તે વિરોધનું રૂપ લઈને સામ્પ્રદાયિક વિદ્વેષ, કલહ, અને ઝઘડાની સ્થિતિનું નિમણિ ન કરત. સામ્પ્રદાયિક ઉત્તેજનાનું મૂળ કારણ સિદ્ધાંતભેદ નથી, એનું કારણ છે, સંવેગજાનત આગ્રહ.
વિચારભેદ :- પ્રત્યેક માનવીનું અસ્તિત્વ અલગ છે, તેથી તેના ચિંતનમાં ભેદ હોય તે સ્વાભાવિક છે. પરંતુ તે યંત્ર હોત, કે યંત્ર દ્વારા તેનું સંચાલન થતું હોત, તો એક જ પ્રકારે તે વિચારત, પરંતુ તે તેવું યંત્ર નથી. દરેકની પોત-પોતાની ચેતના છે, તેથી પોત-પોતાનું ચિંતન પણ છે. તે કોઈ અ-સ્વાભાવિક વાત નથી. વિચારનો આ ભેદ સંવેગથી પ્રભાવિત થઈને સંઘર્ષની સ્થિતિનું નિર્માણ કરે છે.
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org