SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ લોકોએ અનુભવ કર્યો છે. પ્રેક્ષાધ્યાન, અહિંસાનો વસ્તુનિષ્ઠ પ્રયોગ નથી, આ કેવળ આંતરિક ચેતનાના રૂપાંતરણ અથવા હૃદયપરિવર્તનનો પ્રયોગ છે. આ બાબતે અમારો અભિપ્રાય છે ઃ હૃદય-પરિવર્તન સિવાય સામાજિક વિષમતાને દૂર કરવાની અને આર્થિક અસમાનતા મિટાવવાની જે વાત કહેવામાં આવે છે, તે ક્રિયાવિત નથી થતી. બૂરાઈને રોકવાનું શક્તિશાળી માધ્યમ છે ? દંડશક્તિનો પ્રયોગ. બૂરાઈની ચેતનાને બદલવાનો શક્તિશાળી પ્રયોગ છે : હૃદયપરિવર્તન. અહિંસામાં શ્રદ્ધાળુને દંડશક્તિ પર ભરોસો નથી હોતો. એનો વિશ્વાસ હૃદય-પરિવર્તન પર જ હોય છે. એથી, તે અપેક્ષાએ કહી શકાય કે, પ્રેક્ષાધ્યાન સામાજિક વિષમતા અને આર્થિક અસમાનતાના ઉન્મેલનનો પ્રયોગ છે. મહાન સંકલ્પ ગણાધિપતિ શ્રી તુલસી દ્વારા અણુવ્રત આંદોલનનો જે પ્રચાર કરવામાં આવ્યો, તેનાં મુખ્ય તત્ત્વો નીચે પ્રમાણે છે : ૦ અનાવશ્યક હિંસા ન થાય. ૦ નિરપરાધ- નિદોંષની હિંસા ન થાય. ૦ જાતિય વૃણા સમાપ્ત થાય. જાતિભેદ અને રંગભેદના આધારે હીણતા અને ઉચ્ચતાની ભાવના નષ્ટ થાય. ૦ સાંપ્રદાયિકતાને આધારે સંઘર્ષ ન થાય. ૦ માદક, નશીલા પદાર્થોનું સેવન ઘટે, પછી સદંતર બંધ થાય. આ સંકલ્પો, વર્તમાનની જ્વલંત સમસ્યાઓના સમાધાનની દિશામાં થનારા મહાન સંકલ્પો છે. આ સંકલ્પો માટે આંતરિક ચેતનાનું રૂપાંતરણ અથવા હૃદય-પરિવર્તનનો પ્રાયોગિક ઉપક્રમ છે : પ્રેક્ષાધ્યાન. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ ૧૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy