________________
શિક્ષણ અને અહિંસા
અહિંસાના પ્રશિક્ષણને વ્યાપક બનાવવા માટે તેને શિક્ષણ સાથે જોડવું આવશ્યક છે. સામાજિક સ્વાચ્ય, વૈયક્તિક સ્વાચ્ય અને માનસિક શાંતિ માટે અહિંસાનું પ્રશિક્ષણ સવાધિક આવશ્યક છે. શિક્ષણ ક્ષેત્રે આની આટલી બધી ઉપેક્ષા શા માટે કરાઈ તેની મને સમજ નથી પડતી, પ્રશ્ન અનુત્તર થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય તનાવ અને શસ્ત્રી-કરણે માનવસમાજને આ સચ્ચાઈ તરફ વિચારવા માટે વિવશ કરેલ છે. આ વિવશતામાં પણ જે સ્વ-વશતા બહાર આવી છે, ઉભરી છે, તે સોનેરી ભવિષ્યનો સંકેત છે. ૧૯ નવેમ્બર, ૧૯૯૦ માં જે અહિંસાનો અભિલેખ લેવાયો, તે આ યુગના ઇતિહાસની મહત્ત્વપૂર્ણ ઘટના છે. નાટો તથા વારસા સંધિ દેશોના ૩૪ રાષ્ટ્રના અધ્યક્ષોએ યુગાંતરકારી નિઃશસ્ત્રીકરણની સંધિ પર હસ્તાક્ષર કર્યા અને શીતયુદ્ધને અંતિમ વિદાય આપી દીધી. શીતયુદ્ધનું વાતાવરણ નવી ભાગીદારી અને પરસ્પર મૈત્રીમાં બદલાઈ ગયું.
આની સાથે સાથે મધ્યમ દૂર અંતરનાં પ્રક્ષેપાસ્ત્રો (લઘુ પ્રક્ષેપાસ્ત્રો)ના પરિસીમનની સંધિ પર સોવિયેત રાષ્ટ્રપતિ ગોબચાવ અને અમેરિકી રાષ્ટ્રપતિ બુશે સહીઓ કરીને એક નવા ઐતિહાસિક પ્રકરણની શરૂઆત કરી, નવો અધ્યાય શરૂ થયો. પરિણામ સાફ છે કે, શીતયુદ્ધ, ભય, તનાવ અને શસ્ત્રીકરણના વાતાવરણમાં વૈશ્વિક વ્યવસ્થા સમ્યક્ દષ્ટિએ ચાલી ન શકે. છેવટે હિંસા તરફથી અહિંસા તરફ પ્રયાણ કરવું જ પડે છે. જો અહિંસાનું શિક્ષણ, સ્કૂલના શિક્ષણની સાથે જ આપવામાં આવે, તો નવા નેતૃત્વની સફળતા માટે નવી ક્ષિતિજ આપણી સમક્ષ ઉપસ્થિત થઈ શકે છે. વિદ્યાર્થીને પ્રેક્ષાધ્યાનના પ્રયોગ, જીવનવિજ્ઞાનને નામે કરાવાય છે, તેનાથી નૈતિક શિક્ષણ અને અહિંસાનું શિક્ષણ- બંનેની પૂર્તિ થાય છે.
અહિંસાના વ્યાવહારિક પ્રયોગ અને પ્રશિક્ષણ
વિશ્વના અનેક ભાગોમાં અહિંસક સમાજરચનાની દષ્ટિએ અનેક વ્યાવહારિક પ્રયોગો કરવામાં આવે છે. એની સફળતા, યોગ્યતા, સાર્થકતા પર કોઈ પશ્નાર્થ ચિલ ન લગાવી શકાય.આ પ્રયોગ સમાજને વ્યાવહારિક પ્રશિક્ષણ આપે છે. આ સ્વીકારવામાં પણ મને કોઈ મુશ્કેલી નથી. પરંતુ, એક બાબત વિશેષ બાકી રહી જાય છે અને તે છે, અહિંસાના ક્ષેત્રમાં કરવામાં આવતા પ્રયોગ કેટલા ચિરંજીવ અને કેટલા સફળ થયા છે, તે પોતે જ એક સમસ્યા છે. આ સમસ્યાનો અહિંસાના ક્ષેત્રમાં કામ કરતા
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org