________________
સામાજિક પરિવર્તન અને ક્રાંતિ ભલે રાજનૈતિક હોય કે આધ્યાત્મિક, આપણે વ્યક્તિને ગૌણ ન ગણી શકીએ. પ્રેક્ષાધ્યાનને ભલે આપણે સામાજિક અહિંસા સાથે ન જોડીએ, પરંતુ પરોક્ષ રીતે અહિંસા સાથે તેનો સંબંધ સ્વાભાવિક છે.
વ્યક્તિત્વ રૂપાંતરણનું મૌલિક રૂપ
વ્યક્તિત્વ રૂપાંતરણ બહુ સરળ વાત નથી. દરેક વ્યક્તિમાં રચનાત્મક અને ખંડનાત્મક એમ બે ભાવોના સ્રોત હાજર જ હોય છે. નિષેધાત્મક- નકારાત્મક- ખંડનાત્મક ભાવ હંમેશાં હિંસાને જન્મ આપે છે અને વિધેયાત્મક- હકારાત્મક ભાવ અહિંસાને. સામાજિક વાતાવરણ નકારાત્મક ભાવોને વધારે ઉત્તેજન આપે છે, તેથી જાણે-અજાણ્ય હિંસાની સમસ્યા વધારે જટિલ/ગંભીર બને છે, બનતી જાય છે. આજે એની જટિલતા શિખર પર છે. પ્રેક્ષાધ્યાન- નકારાત્મક ભાવોથી અપ્રભાવિત થવાનો પ્રયોગ છે. જો આપણે નિષેધાત્મક સ્રોતોની સાથે આપણો સંપર્ક (ભાવાત્મક સંબધ) સ્થાપી શકીએ તો આ નિષધાત્મક ભાવોથી અપ્રભાવિત રહેવું આપણા માટે ખૂબ સરળ બની રહેશે. ચૈતન્યકેન્દ્રપ્રેક્ષાનો આશય છે, કષાયક્ષેત્ર ઉપર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવું. વ્યક્તિત્વ અથવા ચેતનાના રૂપાંતરણનું આ મૌલિક સ્વરૂપ છે.
અહિંસાનું પ્રશિક્ષણ અનપેક્ષાનો પ્રયોગ
વ્યક્તિત્વના રૂપાંતરણ માટે અનુપ્રેક્ષાના પ્રયોગ બહુ સફળ રહ્યા છે. આ પ્રયોગમાં મગજ (મન) અને શરીરને શિથિલ (ઢીલું) બનાવીને સલાહ આપવામાં આવે છે, સાથે સાથે રંગોનું ધ્યાન પણ કરાવવામાં આવે છે. ધ્વનિ અને રંગ આ બંને અચેતન યા અવચેતન મનને પ્રભાવિત કરે છે. આનાથી જૂના સંસ્કારો અને અર્જિત આદતોનો ક્ષય થઈ જાય છે, નવી આદતો અને નવા સંસ્કારોની નિમણિભૂમિ તૈયાર થઈ જાય છે. નવ(૯) ચરણોમાં વિભાગોમાં પૂરો થતો આ અભ્યાસક્રમ વ્યક્તિનાં સંકલ્પશક્તિ, આત્મવિશ્વાસ અને આત્મનિરીક્ષણની ક્ષમતાને વધારે છે. અહિંસાના વિકાસ માટે પાંચ અનુપ્રેક્ષાઓનો અભ્યાસ જરૂરી છે ?
(૧) અભયની અનુપ્રેક્ષા (૨) સહિષ્ણુતાની અનુપ્રેક્ષા (૩) કરુણાની અનુપ્રેક્ષા (૪) મૈત્રીની અનુપ્રેક્ષા (૫) સ્વાવલમ્બનની અનુપ્રેક્ષા
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજD ૧૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org