________________
આચરણને પ્રોત્સાહન આપ્યું છે. આ દષ્ટિકોણને બદલ્યા સિવાય, અહિંસાનું આચરણ વધે એ અશક્ય છે. વર્તમાન દશકોમાં અહિંસા તરફી આકર્ષણ જે રીતે વધતું ચાલ્યું છે તે, હિંસાથી ઉત્પન્ન થયેલી સમસ્યાના કારણે છે. હત્યા, આતંક, સંહારક શસ્ત્રોનું નિર્માણ, હિંસક સંઘર્ષ અને યુદ્ધ આ હિંસક સમસ્યાઓ, માનવીની શાંતિનો ભંગ કરી રહી છે. સાચેસાચ શાંતિનો ભંગ થઈ રહ્યો છે તેથી અહિંસા પ્રત્યે સતત આકર્ષણ વધતું રહ્યું છે. સૌ કોઈને લાગી રહ્યું છે કે વર્તમાન અશાંતિને દૂર કરવા માટેનું સહુથી સુંદર સમાધાન : “અહિંસા' છે
અવધારણા-માન્યતાઓ બદલાય
હિંસા દ્વારા ઉત્પન્ન તમામ સમસ્યાઓનું એક જ સમાધાન છે : અહિંસા. પણ શરત છે : અનેકાંત દષ્ટિકોણનો વિકાસ. તે સિવાય આ સમાધાન શક્ય નથી.
આ સત્યને આપણે કઈ રીતે ખોટું પાડીશું કે : “મનુષ્યનો દષ્ટિકોણ જેટલો પદાર્થસાપેક્ષ છે, તેટલો મનુષ્ય-સાપેક્ષ કે પ્રાણી-સાપેક્ષ નથી જ ? તે પદાર્થપ્રાપ્તિ માટે મનુષ્ય પ્રત્યે ક્રૂરતા અને પ્રાણી પ્રત્યે નિર્મમતા દાખવી શકે છે. આ સ્થિતિમાં અહિંસાનું મૂલ્ય કેવી રીતે પ્રતિષ્ઠિત કરી શકાય ? જે અવધારણાએ હિંસાને ભડકાવી છે, તે માન્યતાને શું બદલી શકાય ? આપણું મનોબળ વિકસિત હોય અને સંકલ્પબળ મજબૂત હોય તો અવશ્ય બદલી શકાય છે. તેને બદલવા માટે જ અહિંસાના પ્રશિક્ષણની આવશ્યકતા છે.
પ્રશિક્ષણનો ઉદ્દેશ
અહિંસાના પ્રશિક્ષણનું પ્રારંભબિન્દુ છે : “હૃદય-પરિવર્તન' અથવા મસ્તિષ્કીય પરિવર્તન.' આ પરિવર્તન હિંસા પ્રત્યે નહીં, પદાર્થ પ્રત્યે હશે. અમારો નિશ્ચિત મત છે કે : અપરિગ્રહની સમસ્યાને છોડીને આપણે હિંસાની સમસ્યા પર વિચાર સુધ્ધાં ન કરી શકીએ. આગ્રહવશ વિચાર કરવામાં આવે તો પણ, તે સાર્થક ન નિવડે. અહિંસા પ્રશિક્ષણનો ઉદ્દેશ છે : સમતાના મૂલ્યનો વિકાસ. એના માટે : અપરિગ્રહ, અહિંસા અને અનેકાંત- આ ત્રિકોણાત્મક મૂલ્ય છે. આના વિકાસ દ્વારા જ સમતાના મૂલ્યને પ્રતિષ્ઠિત કરી શકાય છે.
આ અહિંસા પ્રશિક્ષણનો આપણો વિનમ્ર પ્રયત્ન એક નવી દિશાની યોજનામાં સફળ થાઓ. આપણે આ સંકલ્પને શક્તિશાળી બનાવીએ અને મંગળ કામના કરીએ : “અહિંસાનાં મૂલ્યોની પ્રતિષ્ઠા કરવા માટે આપણાં કદમ આગળ વધો.”
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ! ૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org