________________
રોજ થતા હોય છે. તે માનસિક શાંતિમાં બાધક બને છે અને મોટા પાયે થનારી હિંસાની પૃષ્ઠ-ભૂમિ તૈયાર કરે છે. પારિવારિક જીવનમાં શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ હોવું તે અહિંસાના શિક્ષણનું મહત્ત્વપૂર્ણ કાર્ય છે. અસહિષ્ણુતા, અસંયમ, અને મહત્ત્વાકાંક્ષા- આ બધાં પારિવારિક જીવનમાં અશાંતિનું વિષ ઘોળે છે. સહિષ્ણુતા, સંયમનો અભ્યાસ, મહત્ત્વાકાંક્ષાનું પરિસીમન- આ પ્રયોગો પારિવારિક જીવનમાં થનારી હિંસાના વાતાવરણને બદલી નાંખે છે.
પારિવારિક અહિંસા : અનેકાન્તનું પ્રશિક્ષણ
પારિવારિક અહિંસાનું એક મહત્ત્વપૂર્ણ ઘટક છે - સામંજસ્ય. ભિન્ન વિચાર, ભિન્ન પસંદગી અને ભિન્ન આચારમાં આમંજસ્ય સ્થાપિત થઈ શકે છે. આ બાબતે અનેકાંતનું પ્રશિક્ષણ ખૂબ સહયોગી ઉપયોગી છે. સ્વતંત્રતા માન્ય છે, પરંતુ સાપેક્ષતા વગરની સ્વતંત્રતા માન્ય નથી. સહ-અસ્તિત્વ માન્ય છે, પરંતુ અન્યાયના પ્રતિકારની શક્તિની વાતની ઉપેક્ષા કરીને નહિ જ. સમાનતા માન્ય છે, પરંતુ ક્ષમતાત્મક અસમાનતા વગરની સમાનતા માન્ય નથી. શાંતિનો આધારસ્તંભ એટલો કમજોર ન બની જાય કે, ભિન્નતાના એક ઝપાટાથી કડડભૂસ કરીને હેઠો પડે. અનેકાન્તના પ્રશિક્ષણમાં ભિન્નતા અમાન્ય નથી, પરંતુ શરત માત્ર એટલી જ કે તે ભિન્નતાનો બીજો છેડો અ-ભિન્નતા હોવો જોઈએ. અભિન્નતા અને ભિન્નતાના સંગમવાળી ચેતનાની જાગૃતિ અહિંસસમાજરચનાની દિશામાં એક નવું કદમ હશે.
સમાજમાં હિંસાના આધાર
સામાજિક જીવનમાં હિંસાના મજબૂત આધાર છે. તે આધારો ઘણા લાંબા સમયથી માન્ય છે . જાતિ-વાદ, રંગભેદ, પ્રાંતવાદ, ગરીબી આવા પૂર્વગ્રહોથી પીડિત સમાજ વારંવાર હિંસાની આગમાં બળતણ હોમે છે, ઇંધણ પૂરે છે.
જાતિવાદ અને રંગભેદના સર્પદંશમાંથી છૂટકારો મેળવવા માનવીય એકતાનું પ્રશિક્ષણ ખૂબ જરૂરી છે.
ગરીબીની સમસ્યા કંઈક વિશેષ જટિલ છે. જટિલતાનું એક કારણ છે ઃ ઉપભોગ્ય સામગ્રી ઓછી છે, અને ઉપભોક્તા અધિક છે. વહેંચીને ખાઓ કે સમાન ભાગીદારીની મનોવૃત્તિનો અભાવ છે. વ્યક્તિગત સુખ-સુવિધા અને સંગ્રહની ભાવના પ્રબળ છે. આ સમસ્યાનો ઉકેલ છે : સંવિભાગનું પ્રશિક્ષણ,
લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ જ્ઞ ૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org