________________
પદ્માસન, શશાંકાસન, યોગમુદ્રા, વાસન, સવાંગાસન મત્સ્યાસન, ગોદોતિકાસન વગેરે આસનો નાડીતંત્ર અને ગ્રંથિતંત્રને ખૂબ પ્રભાવિત કરે છે. આના દ્વારા હિંસાનાં શારીરિક ઉત્પાદક તત્ત્વો ક્ષીણ થઈ જાય છે. અનુલોમ-વિલોમ, ચન્દ્રભેદી નાડી-શોધન, ઉજજાઈ અને શીતલી વગેરે પ્રાણાયામ શરીરમાં પેદા થતી હિંસાનાં બીજાણુંઓનું વિરેચન કરે છે.
માનસિક પ્રશિક્ષણનું સૂત્ર
માનસિક પ્રશિક્ષણનું સૂત્ર છે : ધ્યાન. કાર્યોત્સર્ગ, દીર્ઘશ્વાસ-પ્રેક્ષા, સમવૃત્તિ શ્વાસ-પ્રેક્ષા, વગેરે ધ્યાનના પ્રયોગો માનસિક એકાગ્રતાના વિકાસમાં સહયોગી બને છે. મન જેટલું ચંચળ તેટલી હિંસા વધારે. મન જેટલું સ્થિર- ચંચળતા ઓછી- તેટલી હિંસા ઓછી.
ભાવાત્મક પ્રશિક્ષણનાં સૂત્ર
શારીરિક અને માનસિક પ્રશિક્ષણ કરતાં અધિક આવશ્યક છે ? ભાવાત્મક પ્રશિક્ષણ. તેનું સૂત્ર છે : ચૈતન્ય કેન્દ્રનું ધ્યાન અને આભામંડલીય લેશ્યા ધ્યાન.
અનુપ્રેક્ષાના પ્રયોગ શારીરિક, માનસિક અને ભાવાત્મક ત્રણેય પ્રશિક્ષણ પદો માટે ઉપયોગી છે.
આધારભૂમિઃ પ્રયોગશાળા
અહિંસાના પ્રશિક્ષણની આ વ્યક્તિગત પદ્ધતિ છે. વાસ્તવમાં અહિંસાનું પ્રશિક્ષણ વ્યક્તિગત સ્તરે જ થવાનું છે. સામાજિક સ્તર પર તેના પ્રયોગ કરવામાં આવે છે. એ કહેવામાં કોઈ મુશ્કેલી નથી કે, અહિંસા- ની આધારભૂમિ છે કે વ્યક્તિ અને તેની પ્રયોગશાળા છે ? સમાજ. એ જ રીતે હિંસા માટે પણ આ બંને તત્ત્વો જ છે, તે બહુ સીધી વાત છે. તેથી જ, અહિંસક સમાજરચનાનો મહત્ત્વપૂર્ણ ઘટક છે : વ્યક્તિરચના, તેથી જ- અહિંસક વ્યક્તિરચના પ્રશિક્ષણનું પહેલું ચરણ છે.
પારિવારિક જીવનમાં અહિંસા
એક વ્યક્તિના બીજી વ્યક્તિ સાથેના સમ્બન્ધ અને વ્યવહારોનું તાત્પર્ય છે ઃ સમાજ અને માનનવીય સમ્બન્ધ. વિશુદ્ધ વ્યવહારનું પ્રશિક્ષણ સામાજિક સ્તર પર અહિંસાનું પ્રશિક્ષણ છે. એની પહેલી પ્રયોગભૂમિ છે : પરિવાર. હિંસાને યુદ્ધ અને આંતકવાદ સુધી સીમિત રાખવું આપણા માટે ઇષ્ટ નથી. યુદ્ધ ક્યારેક-ક્યારેક અને કોઈક-કોઈક ભૂમિના ભાગ પર થનારી ઘટના છે. પારિવારિક જીવનમાં હિંસાના પ્રસંગો વારંવાર અને લગભગ
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજD ૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org