________________
છે
કે
આ
કારક
આધ્યાત્મિક મનીષીની ચિંતનપ્રસાદી
'
D રોહિત શાહ
- ભારતની લોકશાહી આજે ભૂલી પડી છે અને તેની
પ્રગતિ ભૂલી થઈ છે. ધાર્મિક કટ્ટરતાને પોષતી. ગંદી - રાજરમતો અને અર્થતંત્રને વેરવિખેર કરતી ભ્રષ્ટ આ રીતરસમોથી ભારતની લોકશાહી ગરવી બનવાને બદલે વરવી બની રહી છે. પૂ. બાપુએ સેવેલું સ્વપ્ન આજે નંદવાઇ ગયું છે. પ્રજા પરેશાન છે. પ્રશ્નો વધુ ને વધુ ગુંચવાતા જાય છે. વિશ્વ જ્યારે વિકાસના માર્ગે ધપી રહ્યું છે ત્યારે ભારત જાણે. વિનાશના માર્ગે - ધસી રહ્યો હોય તેમ લાગે છે.. આ તમામ અનિષ્ટોનો ઉપાય એટલે લોકતંત્રઃ નવી.
વ્યક્તિ, નવો સમાજ.' - મૂળથી જ પરિવર્તન આણીને પુનઃ પ્રગતિના પંથને મોકળો કરવાનો માર્ગ બતાવે છે. આચાર્ય મહાપ્રજ્ઞજી. વ્યક્તિ. બદલાશે તો સમાજ બદલાશે. અને રાષ્ટ્ર પણ બદલાશે. લોકશાહીના મૂળમાં વ્યક્તિ છે. આપણી સરકાર ઉપર ઉપરના પ્રયત્નો કરીને મૂળના, વ્યાધિને ઢાંકવાનો પ્રયત્ન કરે છે. વ્યાધિને ઢાંકવો એ તેનો ઉપાય કદીય ના હોઈ શકે, વ્યાધિનો ઉપચાર જ કરવો પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org