________________
-
:
હેલા લોકો
ભારતની ભૂલી પડેલી લોકશાહીને યથાર્થ માર્ગદર્શન આપીને તેની તમામ સમસ્યાઓનું સમતોલ સમાધાન પ્રસ્તુત કરતા આ ગ્રંથમાં એક આધ્યાત્મિક મનીષીની ચિંતનપ્રસાદી છે. પ્રસ્તુત ગ્રથ : કોઈ રાજકીય વ્યક્તિએ નિજી સ્વાર્થ માટે બિછાવેલી શબ્દજળ કે ભાતિઓની ઊભી કરેલી.
ભ્રમજાળ નથી, પણ એક દિવ્યાત્માનું એમાં દિવ્યદર્શન છે. આહાર, વસ્ત્ર અને રહેઠાણ પ્રત્યેક વ્યક્તિી. પ્રાથમિક જરૂરિયાતો છે. તેમ ભાવનાત્મક ઐકય, શિક્ષણ, તંદુરસ્ત ચિંતન અને સમર્પણની લાગણી. એની અનિવાર્ય સંજીવની છે. માણસ સ્વસ્થ અને હર્યુંભર્યું જીવન જીવે, હિંસા-આતંકના ઓથારથી બચે એ માટે આપણી લોકશાહીને અનુરૂપ નવી વ્યક્તિ અને નવા સમાજનું નિર્માણ કરવું પડશે. આ એક રીતે આ ગ્રંથ ઉપચારગ્રંથ બની રહેશે. આધ્યાત્મિક દ્રષ્ટિ અને રાષ્ટ્રીય વિકાસલક્ષી ભાવનાનો અપૂર્વ સંગમ આ ગ્રંથનો શબ્દ શબ્દ પ્રતીત થાય છે. પૂ. આચાર્ય શ્રી મહાપ્રશજીના મૂલ્યવાન ચિંતનને ગુજરાતી વાચકો માટે સુલભ કરવાની શુભનિષ્ઠા ધરાવતા શ્રી શુભકરણજી સુરાણાની સાહિત્યપ્રીતિના આપણે સૌ ઋણી છીએ. .
અનેકાના
આ મહાવીર જન્મકલ્યાણક દિન ડી-૧૧, રમણકલા એપાર્ટમેન્ટ, સંઘવી હાઈસ્કૂલ રેલવે ક્રોસિંગ પાસે, નારણપુરા, અમદાવાદ ૩૮૦ ૦૧ ૩, ફોન : ૦૪૭૩૨૦૬
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org