________________
મૂર્તિપૂજા લેવાને–તેના ફોટા કે ચિત્રો જોવાનો કે ધર્મભાવના સિવાય સ્ત્રીઓની આગલી પાછલી અવસ્થાઓના વર્ણન કરવાને નિષેધ છે કે જેને સ્ત્રી કથા કહેવાય છે. સ્ત્રીઓના નામ
સ્થાપના અને દ્રવ્યને નિષેધ કયારે છે તે માટે તેના ભાવ પ્રત્યે પહેલું લક્ષ રાખવું જોઈએ. કારણ કે પ્રથમ કહેવાઈ ગયું છે કે નામાદિ ત્રણ નિક્ષેપ તે વસ્તુના ભાવ નિક્ષેપને અનુસરીને જ છે. છે. ગાંધીના કથન મુજબ રાગદ્વેષ કરે નહિ પણ સાધુઓ સ્ત્રીઓના નામ લીએ-સ્ત્રીને જુવે-જાણે તેમાં વધે નથી. આ સિદ્ધાંત અનુસાર તે બહ્મચર્યની નવ વાટેની વ્યવસ્થા જ્ઞાનીઓએ કરેલી છે તે પણ વ્યર્થ કરે છે અને દશવૈકાલીક સૂત્રમાં ચિત્રામણની સ્ત્રીને સાધુએ નહિ જોવાનું કહ્યું છે તે પણ વ્યર્થ કરે છે. કારણકે જ્ઞાનીઓએ એમ કહેવું જોઈતું હતું કે બ્રહ્મચર્યની વાડની કંઈ જરૂર નથી, તેમજ ચિત્રામણની સ્ત્રીને સાધુએ જોવામાં કંઈ વાંધો નથી પણ તેમાં રાગદ્વેષ કરે નહિ. પણ જ્ઞાનીઓને તે એજ વ્યાજબી લાગ્યું કે ધર્મકાર્ય સિવાય ઉપરોક્ત સ્ત્રીઓના સંગથી વિષયભાવ પ્રગટવા સંભવ છે માટે જ તે પ્રમાણે નિયમે દર્શાવ્યા છે. અને તે હકિકતને અનુસરીને જ અહીંયા સ્ત્રીઓના ચારે નિક્ષેપા અગેની ઉપમા અને દાખલો અપાયો છે તે વ્યાજબી જ છે. ચારે નિક્ષેપાની માન્યતા અનાદિ કાળની છે
આ પ્રમાણે ચારે નિક્ષેપાની માન્યતા અનાદિ કાળની છે. એ રીતેની ચાર નિક્ષેપ પૈકી એકપણ નિક્ષેપાની માન્યતા અમુક ટાઈમેજ પ્રચલિત થઈ છે, યા તે પ્રાચિન નહિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org