________________
મૂર્તિપૂજા
૪૫. સ્થાપના નિક્ષેપ પણ નકામે છે એ વાત ખેટી છે. નામ અને સ્થાપનાની જેમ પોતાના પૂજ્ય આદિની આગળ પાછળની અવસ્થાની બુરાઈ યા ભલાઈ સાંભળવાથી રોષ યા તે આનંદ પેદા થાય છે, અને પૂજ્યને સાક્ષાત્ અવર્ણવાદ–. અપશબ્દ–અપમાન સાંભળવાથી પણ તેના રાગી લેક અવશ્ય દુખને પામે છે. તેથી ચારે નિક્ષેપાઓમાં પૃથક પૃથપણે અસર નીપજાવવાની શક્તિ પ્રગટપણે રહેલી છે એમ સ્પષ્ટ થાય છે.
ચારે નિક્ષેપા એક જ ભાવને પેદા કરે છે
જે વસ્તુને જેવા ભાવથી માનવામાં આવે છે તેવા. ભાવને તેના ચારે નિક્ષેપ પ્રગટ કરે છે. અહીં કેઈ શંકા કરે કે-આ નામાદિ ચારમાં ભાવ જ વસ્તુ જણાય છે, કેમકે તે જ પ્રયજનની સિદ્ધિ કરનાર છે. જેવી રીતે ભાવ ઈન્દ્ર દાનવોને દમવારૂપ કાર્ય સાધવામાં સમર્થ છે તેવી રીતે નામ ઈન્દ્રાદિ સમર્થ નથી, માટે નામ-સ્થાપનાદિનું શું પ્રજન, છે? આવી શંકાને સમાધાન માટે જુઓ શ્રી વિશેષાવશ્યકમાં શું કહ્યું છે? અહિ શિષ્ય શંકા કરે છે કે– इह भावो च्चिय वत्यु, तयत्थ सुन्नेहि किं व सेसेहिं ? नामादओविभावा, जंतं वि हु वत्थु पज्जाया ॥५५॥
અહિં ભાવ એ જ તાત્વિક વસ્તુ જણાય છે; તત્ત્વ સિવાયના નામાદિ વડે શું ? (ઉત્તર) નામાદિ પણ તવરૂપ. જ છે, કારણ કે તે પણ વસ્તુના પર્યાય (ધર્મો) છે.
સામાન્યથી ભાવને વસ્તુપણે માનવામાં કંઈ દોષ નથી..
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org