________________
૩૮
મૂર્તિપૂજ . ગાંધી! નીચેની હકિકત વિચારે! દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિશિ મુખ,
વહાલા મારા ઠવણા જિન ઉપગારી રે તસુ આલંબન લહિય અનેક, તીહાં થયા સમક્તિ ધારીરે
ભવિકજન હરખેરે (શ્રી દેવચંદ્રજી) સમવસરણમાં પૂર્વ દિશિ સન્મુખના બારણે તે શ્રી તીર્થંકરદેવ પોતે મુલગે રૂપે બેસે, અને દક્ષિણ-પશ્ચિમ તથા ઉત્તર દિશિને બારણે શ્રી અરિહંતનાં પ્રતિબિંબ બેસે. તે પ્રતિમારૂપ ઠવણુ જિન (સ્થાપના જિન) છે. તે ઉપકારી છે. તેનું પણ આલંબન પામીને અનેક જન ત્યાં સમવસરણને વિષે સમકિતધારી થયા તે સ્થાપના નિક્ષેપાને ઉપકાર છે. ડે. ગાંધી વિચારે કે-ખુદ તીર્થંકરની હાજરીમાં પણ પૂજકે એ સાક્ષાત્ તીર્થંકરની જેમ પ્રતિબિંબ રૂપી સ્થાપના જિનને પૂજા તે પ્રતિબિંબમાં સ્થાપના દ્રવ્ય કેણ હતું? તેમાં અરિહંતનું આત્મદ્રવ્ય હતું? વળી તેમાં (પ્રતિબિંબમાં) ક્ષાયિક ભાવ હતા? ત્યારે તમારી માન્યતાનુસાર કહી છે કે તે પ્રતિબિંબને પૂજનારાઓએ ભૂલ કરી! અને એવી ભૂલો જેટલા જેટલા તીર્થંકર ભૂતકાળમાં થઈ ગયા તે સર્વેની હાજરીમાં થઈ પણ તે ભૂલ સુધારવાને પાછળ પાછળ થનારા કેઈપણ તીર્થંકરે એમ ન કહ્યું કે આ પ્રતિબિંબનું નામ પ્રતિબિંબ છે, આની અંદર અરિ. હંતનું આત્મદ્રવ્ય નથી, આમાં ક્ષાયિક ભાવ નથી માટે આમાં મારા નામાદિ નિક્ષેપ ઘટી શકે નહિ, જેથી તે પ્રતિબિંબને નહિ પૂજતાં પૂર્વાભિમુખ બેઠેલા માત્ર મનેજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org