________________
૩૨
મૂર્તિપૂજા ગુણસ્થાનના વ્યવહારમાં ન હોવાને અંગે દ્રવ્ય જિનને અપૂજનીય કહેનાર કે અવંદનીય કહેનાર હજુ પણ નીચે જણાવેલી હકીકત વિચાર!
પ્રતિક્રમણમાં ત્રીજું “વંદન આવશ્યક” આવે છે, જેમાં ગુરૂ મહારાજને વંદન કરાય છે. હવે પ્રતિક્રમણ તે સાધુઓ (મૂર્તિ પૂજક કે સ્થાનકવાસી) પૈકી દરેક સાધુઓ કરે છે. જેના ગુરૂ જીવતા હોય તેય પ્રતિકમણમાં ત્રીજું આવશ્યક કરે અને જેના ગુરૂ મૃત્યુ પામ્યા હોય તેય કરે. હવે જેઓ સમુદાયમાં મોટા હોય, તેમના ગુરૂની હાજરી ન હોય તેઓના ગુરૂની અનુપસ્થિતિમાં વંદના કયા પ્રકારે પૂરી થાય? અથવા તો કયી રીતે તેઓની ત્રીજા “વંદન આવશ્યક” ની આરાધના કહેવાય? કેમકે તેમના ગુરૂજી તે કાળ કરી ગયા હોય અને તેમનાથી મોટા એ વખતે કઈ તે સંપ્રદાયમાં હેય નહિ, તે બતાવે કે વંદના કેને કરે? ત્રીજું આવશ્યક કર્યા વિના પડાવશ્યકની સંપૂર્ણતા નહિ થવાથી પ્રતિકમણ પણ ન કહેવાય! હવે જે કહે કે પ્રથમ જે ગુરૂ હતા તેમને વંદન કરે છે તે તે ગુરૂ તે વખતે સાધુ કે ગુરૂના ભાવ નિક્ષેપમાં તો છે જ નહિ, કેમકે તેઓ તે મરી ગયા બાદ જ્ઞાની જાણે કે તેઓ કયી ગતિમાં કઈ દિશામાં હશે? જે તે મૃત ગુરૂની પાછલી અવસ્થાને વિચાર કરી હાલે ગમે તે ગતિમાં રહ્યા છતાં વંદન કરીએ છીયે એમ કહેવાથી તો તેઓના દ્રવ્ય નિક્ષેપાને વંદના થઈ, તે પછી એ રીતે જિનેશ્વર દેવના દ્રવ્ય નિક્ષેપને કેમ વંદન ન થાય? મૃત પામેલા ગુરૂ પંચમ ગુણ સ્થાનવતી પણ હશે કે નહિ તેની યે ખાત્રી નથી તે પણ વંદન થાય અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org