________________
મૂર્તિપૂજા પછી થવાના છે તે, પદ્મનાભાદિનું સ્મરણ કે નમસ્કાર કરવું તે પણ દ્રવ્ય નિક્ષેપે છે. એ રીતે જેને ભાવ નિક્ષેપે પૂજનીય છે તેને દ્રવ્ય નિક્ષેપે પૂજનીય ઠરે છે. અન્ય પૂજનીય ભાવના દ્રવ્ય નિક્ષેપાને પૂજનીય કહેવા અને પૂજવા જ્યારે તીર્થંકર પરમાત્માના દ્રવ્ય નિક્ષેપાને અપૂજનીય કહે એ માત્ર મમત્વભાવ કે સંપ્રદાયિક કદાગ્રહજ છે. માટે કઈ રીતે અરિહંત પરમાત્માના દ્રવ્ય નિક્ષેપાને અપૂજનીય કહેવાય જ નહિ. વ્યવહારિક કાર્યોમાં પણ જેને ભાવ નિક્ષેપ માનને કે આદરને પાત્ર છે તેને દ્રવ્ય નિક્ષેપે માનને અને આદરને પાત્ર બને છે. એવા અનેક દાખલાઓ છે. બહુ તપસ્યા કરનાર માણસને પારણાને દિવસે પણ તપસ્વી કહેવાય છે, જે દિવસે તેને કંઈ પણ તપસ્યા ન હોય તે દિવસે પણ માણસે તેને તપસ્વી કહી આદર કરે છે. તે દિવસે તે તપસ્યાના દ્રવ્ય નિક્ષેપે કહેવાય. તપસ્વીઓને પારણાને દિવસે કે અત્તરવાયણા (તપસ્યા કરવાના આગલે દિવસે)ના દિવસે જમાડાય છે તેને તપસ્વીઓનું જમણ છે એમ કહેવાય છે.
વર્તમાન કાળે વિલાયત અગર અમેરિકા અભ્યાસ કરવા જનારને અભ્યાસાદિ કરી આવ્યા બાદ તે આદર સન્માન આપે છે એટલું જ નહિ પણ અભ્યાસ કરવા જવા વખતેય પણ હજી અભ્યાસ ન થયા હોય તેય વિદાય વખતે હારતોરા એનાયત કરવા દ્વારા તેનું સન્માન થાય છે. આ પણ તે વસ્તુના દ્રવ્ય નિક્ષેપાનું જ સન્માન છે. માટે જેને ભાવ નિક્ષેપ પૂજનીક હેય તેને દ્રવ્ય નિક્ષેપ પૂજનીક છે તે ઉપરોક્ત કથાનકેથી સિદ્ધ થાય છે. શુદ્ધ ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org