________________
૨૮
મૂર્તિપૂજા સિદ્ધ તરીકે છે, પણ તેમને અરિહંત તરીકે વંદન કરાય છે. તેમનામાં હાલે ભાવ અરિહંતપણું તે છે નહિ, પરંતુ દ્રવ્ય અરિહંત છે. માટે લેગસ્ટમાં જે સ્તુતિ કરાય છે તે દ્રવ્ય અરિહંતની સ્તુતિ છે. વળી જે તીર્થકરે હવે પછી થવાના છે, તેઓને વંદન કરવું તે પણ દ્રવ્ય નિક્ષેપે જાણવું. રૂષભદેવ ભગવાનના શાસનમાં ચતુર્વિધ સંઘ લોગસ્સમાં ભવિ* ક્યમાં થનારા ત્રેવીસ તીર્થકરને દ્રવ્ય નિક્ષેપે વંદના કરતે હતો. વળી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે-મહાવીરે ગૌતમ સ્વામીને કહેલ કે બંધક સન્યાસી અહીં આવે છે, તે ધર્મ પામશે અને ચારિત્ર લેશે. તે સાંભળી ગૌતમ સ્વામી બંધક સન્યાસીની સન્મુખ ગયા. તે બંધક સન્યાસી સાધુ થશે, તે સાધુપણાને દ્રવ્ય નિક્ષેપે તે વખતે છે, માટે સાધુપણાના દ્રવ્ય નિક્ષેપાને લઈને જ ગૌતમ ગણધર સામે ગયા, તે શિવાય અન્યદર્શનિ (અવંતિ)ની સન્મુખ કેમ જાય ? વળી રૂષભદેવ ભગવાને ભરત મહારાજને કહેલ કે મરિચિ ત્રિદંડી (તારેપુત્ર) વીશમે તીર્થકર મહાવીર નામે થશે, તેથી ભરતે તે ત્રિદંડવેષિક મરિચિને વંદના કરી તે મહાવીરના દ્રવ્ય નિક્ષેપાને અંગે વંદના થઈ
જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં શ્રી તીર્થકરના જન્મ સમયે તથા નિર્વાણ સમયે પ્રકટ વંદન-નમસ્કાર કરવાને પાઠ છે. તે વંદના-નમસ્કાર ક્યા નિક્ષેપને છે? તે જરા પક્ષપાતની જંજીરમાંથી મુક્ત બની વિચારે એટલે સમજાશે. કેમકે જન્મ સમયમાં (યાવત્ કેવલજ્ઞાન નહિ હેતું તાત્પર્યત) ભાવનિક્ષેપ તે નથી, પણ દ્રવ્ય નિક્ષેપજ છે. તથા નિર્વાણ સમયમાં પણ ભાવનિક્ષેપ નથી, કેવલ તીર્થકર મહારાજાનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org