________________
manananana
મૂર્તિપૂજા
ર૭ તેના દ્રવ્ય અને ભાવ નિક્ષેપામાં ભેદ પાડવાનું હોય જ નહિ. ભાવ નિક્ષેપે સ્પષ્ટ ન હોય તે વસ્તુ કે ગુણને સમુદાયપણે ગ્રહણ કરવી પડે ત્યારે તેના આગમ ના આગમ આદિ પ્રકારો દ્વારા દ્રવ્ય તથા ભાવ નિક્ષેપો વિચારાય. અરિહંત પરમાત્માના ભવિષ્યકાળમાં કે ભૂતકાળમાં કારણરૂપ
શરીર અને ભવ્ય શરીર રૂપ દ્રવ્ય નિક્ષેપમાં બીજા પ્રકારનું ભેળસેળ કરી પછી તે બધા ભેદને દ્રવ્ય અરિહંત કહેવા તે અયોગ્ય જ કહેવાય. જેથી સ્વ નિ નિ નવા એ વાક્યાનુસાર તીર્થકર નામ કમ બાંધ્યું હોય એવા શ્રી તીર્થંકર પરમાત્માને જીવ તે દ્રવ્ય જિન કહેવાય. એ કહ્યું છે તે જ દ્રવ્ય જિનની વ્યાખ્યા તરીકે બરાબર છે. ડે. ગાંધી લખે છે કે —
“ત્રીજા નિક્ષેપમાં બદ્રવ્ય જિન” કહ્યા તેમની પૂજા કરવી તે શુદ્ધગુણ સ્થાનના વ્યવહારમાં નથી.”
આપણે આગળ વિચારી ગયા તે મુજબ અરિહંતજિન-કેવલીનાં જ્ઞશરીર અને ભવ્ય શરીર જ દ્રવ્ય જિન તરીકે ગણાય. તે પૂજ્યનય જ છે જે નીચેની હકીકતથી સિદ્ધ થાય છે.
લેગસમાં ચોવીસે તીર્થકરનાં નામ છે. મૂર્તિને નહિ માનનારે સ્થાનકવાસી વર્ગ પણ નિરંતર દરેક ક્રિયામાં લેગસ્સ બેલે છે, તે વીસે તીર્થકરો તે હમણાં સિદ્ધના ભાવ નિક્ષેપે બીરાજે છે. તેઓના નામે જે હમણાં નમસ્કાર કરાય છે તે દ્રવ્ય નિક્ષેપે છે. કારણ કે તે વિસ્તાર એ પરથી જાણી શકાય છે કે તે વીસે તીર્થકરે હાલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org