________________
મૂર્તિપૂજા વિચાર! જે પ્રકાર ઘટી શકતું હોય તે પ્રકાર અરિહંતને દ્રવ્ય નિક્ષેપ છે. સર્વજ્ઞવીતરાગ-અરહાજિન કેવલીના ભૂત અને ભવિષ્યમાં કારણરૂપ જ્ઞશરીર અને ભવ્ય શરીર છે. માટે અરિહંતનું જ્ઞશરીર અને ભવ્ય શરીર તે જ અરિહંતને દ્રવ્ય નિક્ષેપ (દ્રવ્ય અરિહંત) કહેવાય. બાકી આગમ અરિહંત કે ન આગમ લૌકિક-લોકેત્તર કે કુઝાવચનની કરેલ વ્યાખ્યાઓ પૈકી એકે દ્રવ્ય અરિહંત તરીકે કહી શકાય જ નહિ.
વળી વાસુદેવ-ચકવતિ કે રાજાને અરિહંત કહેવાય જ નહિ. અમુક હકિકતની સંજ્ઞા આવે છે તો તે સંજ્ઞાને સર્વ લેક તે જ હકિકત રૂપે સમજે છે. જેમકે “પંકજ” એ શબ્દને શબ્દાર્થ કરીયે તે “પંક” એટલે કાદવ તેમાં “જ” એટલે જીમેલ (ઉત્પન્ન થયેલ) તે “પંકજ” કહેવાય. હવે જે વિચાર કરીયે તે કાદવમાં બીજી ઘણું ચીજે ઘાસ વગેરે ઉત્પન્ન થાય છે, તેથી તે સર્વે ચીને પંકજ શબ્દથી ઓળખવી જોઈએ, તેને બદલે માત્ર કમળને જ પંકજ શબ્દથી ઓળખવાને સંકેત બાંધેલ છે તો તે પ્રમાણે મનુષ્યો પંકજ શબ્દથી કમળને જ ઓળખે છે. એ રીતે અરિ-શત્રુ અને હંત-હણનારા શત્રુ (ભાવશત્રુકમ) ને હણનારા તે અરિહંત શબ્દ શ્રી તીર્થકર-કેવલી–પરમાત્માને માટે જ સંકેત કરાયેલ છે. દુશ્મનને હણનારા રાજાએને કોઈ અરિહંત કહેતું નથી. પણ શ્રી તીર્થંકર પરમામાને જ અરિહંત તરીકે સૌ મનુષ્ય ઓળખે છે. માટે દ્રવ્ય અરિહંતમાં આગમ લૌકિક અરિહંત તરીકે વાસુદેવ આદિને ગણવા તે અયુક્ત જ છે. વળી સર્વજ્ઞ-વિતરાગ -અરિહા–જિન કેવલીને દ્રવ્ય તથા ભાવ નિક્ષેપે સ્પષ્ટ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org