________________
મૂર્તિ પૂજાની પ્રાચિનતા અને સાર્થકતા
૧૫
અરિહંતના આત્મ પ્રદેશોની અવગાહના ક્ષેત્ર રૂપી આકૃતિની મનમાં સ્થાપના ભાવમાં સ્થિર કરવા માટે ઉપયાગી છે.”
ડા. ગાંધીને એટલું તેા ચાસ સમજાયું છે કે ભાવમાં સ્થિર કરવા માટે આકૃતિ (સ્થાપના) ની જરૂરીયાત તા છે જ. એટલે કે આકૃતિથી (સ્થાપનાથી) ભાવસ્થિરતા થાય છે. એટલે જ તેઓએ સ્થાપના જિનની કરેલી ચાર બ્યાખ્યાઓ પૈકી છેલ્લી એ વ્યાખ્યાઓમાં દર્શાવેલ અરિહંત એવી અક્ષર સ્થાપના અને આકૃતિની મનમાં સ્થાપનાને જરૂરી માની છે. હવે જો દીર્ઘદ્રષ્ટિથી વિચારીયે તા અક્ષર સ્થાપના અને આકૃતિની મનમાં થતી સ્થાપના એ બન્ને જડ હોવા છતાં આત્માને ભાવમાં સ્થિર કરવા માટે ઉપચેાગી છે તે પ્રમાણે સદ્ભૂત વ્યક્તિગત અરિહંતની તાદ્દશ્ છબી કે મૂર્ત્તિ અને અસદ્ભૂત કોઇ પણ છબી કે મૂર્તિની અરિહંત તરીકેની સ્થાપના તે આત્માને ભાવમાં સ્થિર કરવા માટે ઉપયેગી કેમ ન થાય ? વળી આકૃતિની મનમાં સ્થાપના કરવા માટે પણ પ્રથમ ચક્ષુદ્વારા આકૃતિનું નિરીક્ષણ કરવું જોઈએ. જે વસ્તુની આકૃતિ દ્રષ્ટિગોચર ન થઈ હોય તેનું તાણ્ય ચિત્ર યા આકાર મનમાં પણ ખડું થઇ શકે જ નહિ. પરંતુ જે વસ્તુ સાક્ષાત્ યાતા તેનું ચિત્ર અગર મૂત્તિ એક વખત પણ જોએલી હોય તેની જ આકૃતિ મનમાં સ્થાપી શકાય. આ હિસાબે શુભ ભાવ પેદા કરવામાં આષ્ટ્રતિની સ્થાપના કરવાનું ઉપયાગી માનનારને સદ્ભૂત વ્યક્તિગત અરિહંતની તાદ્દશ છબી કે મૂત્તિ અગર તા અસદ્ભૂત કોઈ પણ છબી કે મૂર્તિની અરિહંત તરીકેની સ્થાપનાને ઉપયાગી માનવી જ પડશે. પરંતુ પેાતાના સંપ્રદાયનું ખરાખ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org