________________
૧૦
મૂર્તિપૂજા એટલે મહાત્મા ગાંધી મેહનલાલ કરમચંદની વાત છે. જેથી તેમાં અન્ય ગાંધીની હકિકતનો ખુલાસો કરવાની જરૂરીયાત રહેતી જ નથી. એ ટાઈમે સભામાંથી કોઈ એમ કહે કે ગાંધીજી પ્રશંસનીય કહી શકાય જ નહિ. કારણ કે અમુક અન્ય માણસ પણ ગાંધીજીની અટક વાળે છે, તેનું જીવન પવિત્ર નથી, માત્ર ગાંધીજી બોલવાથી તે પણ સાથે ગણાઈ જાય છે. માટે એમ છે કે ગાંધીજીના બે ભેદ (૧) મહાત્મા ગાંધી સિવાયને ગાંધીજી એવી અટકવાળે તે ગાંધીજીનું નામ. (૨) મહાત્મા ગાંધીજી તેમનું ગાંધીજી નામ. આ રીતે ગાંધીજીના નામના બે ભેદ ગણાય. આવી રીતે નામના ભેદ પાડવાનું કહેનારને તે વખતે સભાજને એમ જ કહે કે તારું ડહાપણ રહેવા દે. જરા ભાન રાખો કે આજે ક્યા વ્યક્તિને ઉદ્દેશીને “ગાંધીજી” બોલાય છે કે તું સમજ્યા વિના ગાંધીજી શબ્દમાં મહાત્મા ગાંધીજી સિવાય બીજાનું ય ગાંધીપણું ભેળસેળ કરી રહ્યો છે.
એ રીતે ડે. ગાંધીને અરિહંતને નામ નિક્ષેપ અપૂજનીય ઠેરાવવો છે એટલે જ નામ અરિહંતની વ્યાખ્યામાં ભેળસેળ કરી નાખ્યું છે અને આગળ જતાં જણાવ્યું છે કે અરિહંતને ફક્ત ભાવ નિક્ષેપ પૂજનીય છે, પણ સમજવું જોઈએ કે –
અરિહંત-મહાવીર આદિ નામનો આદર કરવા વડે તીર્થકરોને જ આદર કરાય છે, એટલે કદાચ અરિહંત-મહાવીર એ નામે બીજી વસ્તુઓમાં હોય તે પણ બાધક નથી. કારણ કે જે જે વસ્તુના અભિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org