SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિપૂજા આ લેકમાંથી તાત્પર્ય એ નીકળે છે કે- કેઈપણ . ટાઈમ કે કાઈપણ ક્ષેત્ર (સ્થાન) ત્રણ લેકમાં એવું નથી કે અરિહંત પરમાત્માની ઉપાસના માટે નામ-આકૃતિદ્રવ્ય અને ભાવ એ ચારે નિક્ષેપાઓ પિકી એક પણ નિક્ષેપાની નિષ્ફળતા હેય, અર્થાત્ એ ચારે નિક્ષેપાએ અરિહંત પર માત્માની ઉપાસના માટે સફળ છે. આ ચારમાંથી એક પણું નિક્ષેપાની અવગણના એ સમ્યફત્વની પ્રાપ્તિને રોકનાર અને પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વને નાશ કરનાર છે. કેઈપણ વસ્તુનું સ્વરૂપ જાણવા માટે સામાન્ય પણે ઓછામાં ઓછા ચાર નિક્ષેપ અવશ્ય કરવામાં આવે છે. તે આ પ્રમાણે – ૧ નામ નિક્ષેપ–વસ્તુનો આકાર કે ગુણ કંઈ નહિ, માત્ર વસ્તુનું નામ તે “નામ નિક્ષેપ” કહેવાય છે. ૨ સ્થાપના નિક્ષેપ–ગુણ રહિત પરંતુ નામ સાથે આકાર તે સ્થાપના નિક્ષેપ કહેવાય છે. ૩ દ્રવ્ય નિક્ષેપ–વસ્તુના નામ અને આકાર તથા અતીત અને અનાગત (ભૂતકાળ અને ભવિષ્ય કાળ) ગુણે સહિત, પરંતુ વર્તમાન ગુણે રહિત તે દ્રવ્ય નિક્ષેપ કહેવાય છે. ૪ ભાવ નિક્ષેપ–વસ્તુના નામ–આકાર અને વર્તમાન ગુણે સહિત તે ભાવ નિક્ષેપ કહેવાય છે. જેમ – नाम जिणा जिण नामा, ठवण जिणा पुण जिणिद पडिमाओ। दब जिणा जिण जीवा, भाव जिणा समवसरणथ्था ॥ શ્રી જિનેશ્વર દેવનાં શાંતિનાથ વિગેરે નામે તે નામ જિન કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy