________________
મૂર્તિપૂજા
૧૩ (૩) લેકા મતાધિપતિ પૂજય રૂષિ મેઘજીસ્વામીએ પિતાના પચવીસ શિષ્યની સાથે (સ્થા શ્રીમાન વાડીલાલ મોતીલાલના મતે ૫૦૦ શિષ્ય સાથે) કામતને ત્યાગ કરી અમદાવાદ નગરે સકલ રાજાધિરાજ અકબર બાદશાહની આજ્ઞાપૂર્વક અને તેજ બાદશાહે આપેલ વાજીંત્રાદિ સામગ્રીના ઠાઠપૂર્વક સમ્રાટ અકબર પ્રતિબોધક જગતગુરૂ જૈનાચાર્ય શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ પાસે પુનઃ જૈન દીક્ષા ગ્રહણ કરી હતી.
(૪) સ્થા. પંજાબી સાધુ બુટેરાયજી મહારાજે પોતાની જન્મભૂમિ પંજાબના ઉદ્ધારને માટે વિ. સં. ૧૯૦૩ માં મુહપત્તિને ડેરે ત્રોડી પંજાબ દેશની ભૂલી ભટકી જનતાને સોપદેશ દ્વારા પુનઃ જૈન ધર્મના સત્ય પથ પર લાવવા લાગ્યા. ત્યાર બાદ ગુજરાતમાં જઈ પૂજ્ય ગણિ શ્રીમાન મણિવિજયજીની પાસે જૈન દીક્ષા સ્વીકારી. અને મૂર્તિમંજકેની માયા જાલને દૂર કરી ધમને ખૂબ પ્રચાર કર્યો. તેઓશ્રીનું નામ પૂજયપાદ ગણિવર બુદ્ધિવિજયજી મહારાજ રખાયું હતું. તેમની પરંપરામાં આજે પ્રાય: ૪૩૦ સાધુઓ અને સેંકડે સાધ્વીઓ વિદ્યમાન છે. તેઓશ્રી પંજાબ દેશમાં
સ્થા. સાધુમાર્ગિયાના સામ્રાજ્યમાં પ્રાયઃ લુપ્ત થયેલા મૂર્તિ પૂજક ધર્મને પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં સમર્થ થયા. કેટિશઃ વંદન હો એવા સદ્ ગુરૂને..
(૫) પંજાબી સાધુ માર્ગી થા. સાધુ મૂલચંદજીને જન્મ પંજાબના સિયાલકેટ શહેરમાં એસવાલ વંશભૂષણ સુખસાની ધર્મ પત્ની બકેરબાઈની પવિત્ર કુક્ષિાએ વિ. સં. ૧૮૮૬ માં થયેલ હતું. તે મહાત્માએ વિ. સ. ૧૯૦૨ માં સ્વામિ બુટે રાયજીની પાસે સ્થાનકવાસી દીક્ષા લીધી હતી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org