SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ મૂર્તિપૂજા મતને અનુયાયી છે એજ પ્રશ્ન ઉપલક દ્રષ્ટિએ બહુજ મુંઝવનાર છે. અને તેથી કેટલાકે તે વસ્તુને આગળ કરી અનેક મનુષ્ય માર્ગથી પરિભ્રષ્ટ થતા જોવાય છે, પણ વિવેકી બુદ્ધિમાને માટે આ પ્રશ્ન મુંઝવનારે નથી જ. સત્યની આકાંક્ષાએ સ્થિર ચિત્તે આને વિચાર કરવામાં આવે તે આ પ્રશ્ન ઉકેલ ઘણેજ સહેલું છે. પરંતુ આવી વિચારણા વખતે સત્યને એક જરાપણ અન્યાય ન થઈ જાય તેની પૂરેપૂરી સંભાળ રાખવી જોઈએ. અપ્રામાણિક મતને સ્વીકારી લેવાથી થનારા નુકશાનને ખ્યાલ અને ભય રખાય છે તેમ કેઈપણ મતને નહિ સ્વીકારવાથી થતા નુકશાનને પણ ભય અને ખ્યાલ લાવવાની જરૂર છે. ધર્મ પ્રત્યે પ્રમાદી અને બેદરકાર બનેલ આત્માઓનું અનુકરણ કરીને, ધર્મના અથ આત્માઓએ પણ શુદ્ધ મતને નહિ શોધવા અથવા ધર્મથી સર્વદા બેદરકાર બનવું, એ ન્યાય સંગત નથી. જૈનધર્મ તરીકે કહેવાતા મતો પૈકી સત્ય મતની પ્રમાણિકતા સિદ્ધ કરવા માટે ખર ઉપાય એ છે કે સત્યમતના પ્રણેતાઓ મુક્તિના પરમ પિપાસુ, ભવના ભીરૂ અને જ્ઞાનક્રિયા ઉભયને આચરનારા સર્વશ્રેષ્ઠ પુરૂષ જ હોય છે. તે મહાપુરૂષના આશ્રયે રહેલાઓ પણ ગુરૂ આજ્ઞામાં લીન, ઉપશમ રસના ભંડાર, સંવેગ અને નિર્વેદના પાત્ર, કરૂશુના નિધાન તથા શ્રી જિન વચનના નિશ્ચળ રાગી થયેલા હોય છે. એટલે કે મતની પ્રમાણિતાને આધાર મુખ્યત્વે તેના નાયક અને અનુયાયીઓ ઉપર રહે છે. જે મતમાં યાકિની મહત્તરાસૂનુ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા સુપિંગ, તથા કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ્ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy