________________
મૂર્તિપૂજા
૨૯૭ ચા બગાડ હય, તે સૌથી પહેલાં તેના વિચારને ફેરવવા પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં સુધી તે પિતાના વિચારોમાં મકકમ હશે, ત્યાં સુધી તેને તેના આચાર માર્ગથી ખસેડ દુર શક્ય છે. વિચારોની એ મક્કમતાનું નામ જ શ્રદ્ધા છે. એ શ્રદ્ધા જ્ઞાનથી ઘડાય છે એ વાત સાચી છે, તે પણ સર્વ પ્રકારનું જ્ઞાન શ્રદ્ધાને ઘડનારૂં કે દ્રઢ કરનારૂં જ થાય છે, એમ કહેવું એ સાચું નથી. જ્ઞાનથી જેમ વિચારો અને શ્રદ્ધા મક્કમ બને છે, તેમ જ્ઞાનથી જ વિચારે અને શ્રદ્ધા નષ્ટ થાય છે યા શિથિલ બને છે. શ્રદ્ધાને ઘડનારૂં સ્થિર કરનારું કે વધારનારૂં જ્ઞાન જેમ સહાયક અને આદરણીય છે, તેમ શ્રદ્ધાને બગાડનારૂં, ઉખેડનારૂં કે નાશ કરનારૂં જ્ઞાન તેટલું જ અનર્થકારક અને અનાદરણીય છે. બધાને ફલિતાર્થ એજ છે કે માનવીને ચઢાવ કે પાડ હોય, તે સૌથી પ્રથમ એની વિચારણાને પલટાવવાની જ મોટામાં મોટી આવશ્યક્તા રહે છે અને એટલા માટે કોઈ પણ ક્ષેત્રના નાયકે સૌથી પ્રથમ પ્રયત્ન તેને માટે જ કરે છે.
શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા પૂજનના કાર્યથી ભવ્ય આતમાઓને ટ્યુત કરવાને ઈરાદો ધરાવનાર કોઈ પણ આત્મા પ્રતિમા પૂજનના કાર્યને અનુસરનાર આત્માઓની સમ્યક શ્રદ્ધા ઉપર પ્રથમ ઘા કરે છે. શ્રદ્ધા ઉપર ઘા કર્યા વિના કેવળ પ્રતિમા પૂજનને બેટી વર્ણવવા પ્રયત્ન કરનારા પૂજકને પરાજિત કરવા માટે કદી પણ સફળ થઈ શકતા નથી. જેટલી સફળતા તેઓ શ્રદ્ધાને નબળી પાડવામાં મેળવી શકે છે, તેટલી જ સફળતા તેઓને ત્યાર પછી પૂજકને પૂજાના કાર્યથી ભ્રષ્ટ કરવામાં મળી શકે છે. આ વસ્તુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org