SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ મૂર્તિ પૂજા લે છે, અને તેના સંગથી પોતે દૂર થઈ શકે છે તેમજ બીજાઓને પણ દૂર કરી શકે છે. વસ્તુ જેમ અમુલ્ય, તેમ તેની રક્ષા કરવી પણ મુશ્કેલ. અમુલ્ય વસ્તુને લુંટાઈ જતી અટકાવવા માટે જે પૂરેપૂરી સાવધગીરી રાખવામાં ન આવે તે તે વસ્તુ સચવાઈ શકવી મુશ્કેલ છે. આજના જમાનાની લુંટ કે જુદા જ પ્રકારની છે. તે લુંટ એવી છે કે સામાન્ય માણસ તેને લુંટ તરીકે જાણી શકે જ નહિ. અને લુંટાય હેય છતાં કમાય છે એમ જ સમજે. બાળકના હાથમાંથી ઝુંટવી લેવાય તે તે બાળક બુમાબુમ કરે અને અન્ય માણસ આવી ચડતાં લુંટવાને પ્રયત્ન કરનાર નિષ્ફળ બને. પરંતુ બાળકને કંઈ લાલચ આપી મિષ્ટ વચનેથી સંબોધવામાં આવે તે તે લાલચથી હિતાહિતના ખ્યાલ વિનાનું બાળક હસતે મેઢે પિતાની પાસે રહેલ વસ્તુ ફેંકી દે છે. કારણ કે તે બાળકના વિચા. રેનું પરિવર્તન પહેલું લુંટનારે કર્યું છે એટલે તેના આચારથી ભ્રષ્ટ કરવામાં તેને સુલભતા પ્રાપ્ત થઈ છે. આજે પણ જિનેશ્વરદેવે કથિત માર્ગથી અજ્ઞાત એવા મનુષ્યને જૈન શાસનની આરાધનારૂપ આચારથી ભ્રષ્ટ કરવાને ધર્મને બહાને કે અહિંસાને બહાને કે સમાજ સેવાને ન્હાને શુભ વિચારેને ફેરવવાનાં આંદોલને ચાલે છે. શુભ વિચારે એટલે શુભ અનુષ્ઠાને પ્રત્યેની શ્રદ્ધા. કેઈ પણ આત્માને તેના કલ્યાણ માર્ગથી ભ્રષ્ટ કરે છે, તે તેને સરળમાં સરળ ઉપાય એ છે કે-સૌથી પ્રથમ તેને તેના કલ્યાણમાની શ્રદ્ધાથી ભ્રષ્ટ કરવો. માનસ શાસ્ત્રીઓનું પણ કહેવું છે કેવિચાર, એ આચારને ઘડનારા છે. કેઈ માણસને સુધાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy