________________
૨૦૨
મૂતિ પૂજા પણ ધન્ય છે અમુકને કે પ્રયત્નમાં પડ્યો છે, અને બીજી કશી પણ પરવા રાખ્યા સિવાય રક્ષાનું કાર્ય કર્યું જ જાય છે. માટે તમારી જે કંઈ સાધન સામગ્રી હોય તે એને સપે, એને દરેક રીતે મદદગાર બને. આવા ધર્મની ધગશવાળા આત્માઓ પણ પિતાની શુદ્ધ ભાવનાના યોગે તરી જાય. સર્વથા રક્ષા વિનાની આરાધના તે પ્રસંગે ઈતરજને માટે હાસ્યને વિષય પણ થઈ પડે. જો! આ પૂજા કરનારે ભગવાનને ભગત ! રોજ તે પૂજા કરવાને માટે દેહાદેડ કરે અને મંદિર ઉપર આફત આવી એટલે ભાઈશાબ પિબારા ગણે ગયા. જે! આ ગુરૂ ભક્ત ! જ તે વંદન કર્યા વિના ખાય નહિ, વ્યાખ્યાન કદી ચૂકે નહિ અને જ્યાં ગુરૂ ઉપર આક્રમણ આવ્યું એટલે ઉપાશ્રયને રસ્તો પણ તજી દીધો.
આવા ભક્તો ન હોય તેય શું છેટું? આવું ઈતર જને પણ બોલે. પણ આજે તે એથાયે ખરાબ હાલત કેટલીકવાર જોવાય છે. આંકમણ વખતે પડખે તે ઉભા ન રહે, દૂરથી પણ મદદ તે ન કરે, પરંતુ ઉલ્ટા સામાને વગોવે. આક્રમણને સામને કરનારને મૂર્ખ કહે અને પોતે સમતાના સાગર બને. પણ એવે ટાઈમે દૂર ખસી જવું એ ડહાપણ છે? શું એ સમતા છે? શું એમ કરવાથી ભક્તિ શેભે ખરી? હરગિઝ નહિ. એવા તે ઉલ્ટા વિરોધી પક્ષના હથિયાર રૂપ બની સમાજમાં કુસંપની ચીનગારી મૂકે છે. જગતમાં જિનેશ્વર ભગવાનની પ્રતિમા તારક જ છે એ જાતિની અંતરમાં પૂરેપૂરી પ્રતિતિ થયા વિના રક્ષક ભાવના જાગતી જ નથી. કુલધર્મને અંગે ક્રિયાઓ થાય, પણ એમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org