________________
મૂર્તિપૂજા
૧૯૧ વીસીના નવમા તીર્થકર શ્રી દામોદર પ્રભુના સમયમાં અષાઢી શ્રાવકે ભરાવેલ છે. તેને આજે અસંખ્યાત વર્ષો થઈ ગયાં. તે રીતે શ્રી ગિરનાર તીર્થમંડન શ્રી નેમિનાથ સ્વામિ શ્રી સ્થંભન તીર્થાધિપતિ શ્રી સ્થંભન પાર્શ્વનાથ વગેરે પ્રતિમાજી ઠેઠ આજે વર્ષો પહેલાના પ્રાપ્ત થાય છે. આથી પણ મૂર્તિપૂજાને ઈતિહાસ પ્રાચિન છે એ વિશે મતભેદ ન હેઈ શકે. તદુપરાંત વર્તમાનનાં વૈજ્ઞાનિક સાધનોમાં ગણાતા શિલાલેખનાં પ્રમાણ પણ મૂર્તિપૂજાની પ્રાચિનતા માટે ઘણાં મળી રહે છે. હમણાં ભદ્રેશ્વર તીર્થના બાંધકામને જીર્ણોદ્ધાર કરાવતાં એક શિલાલેખ પ્રાપ્ત થયેલ છે. જેની લીપીને ઉકેલ કલકત્તા રેયલ એસીયાઈટીક સેસાયટીના મંત્રી ડબલ્યુરૂડેલ્ફ હાર્નલે કરતાં એ હકિત બહાર આવી કે ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ બાદ ૨૩ વર્ષ પછી દેવચંદ્ર નામના શ્રાવકે શ્રી સુધર્મા સ્વામીના શુભ હસ્તે પાર્શ્વનાથ ભગવાની પ્રતિષ્ઠા કરાવેલ છે. વળી જેન પત્ર વર્ષ ૩૫ અંક ૧ તા. ૩–૧-૩૭ માં પ્રથમ જણાવાયું હતું કેપ્રભાસ ઈતિહાસક સંશાધક મંડલને પ્રભાસ પાટણના એક સેમપુરા બ્રાહ્મણ પાસેથી એક તામ્રપત્ર પ્રાપ્ત થયું છે. તે તામ્રપત્રની ભાષા એટલી બધી કઠીન છે કે સાધરણ પંડિત તે તે વાંચી શકે પણ નહિ તે પણ હિન્દુ વિશ્વવિદ્યાલયના અધ્યાપક પ્રખર ભાષાશાસ્ત્રી શ્રીમાનું પ્રાણનાથજીએ બહુજ પરિશ્રમથી તે તામ્રપત્રને લેખ વાંચી તેને ભાવ નીચે મુજબ પ્રગટ કર્યો છે.
“રેવા ના રાજ્ય સ્વામિ ......નાતિ સેવ
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org