________________
૨૩
કેવલીઓ પૈકિના આ બુત કેવલી પાંચમા છે. હવે આ મૂર્તિપૂજા પુસ્તિકામાં મૂર્તિની પૂજા માટેનું કથન છે, તે પ્રસંગ પ્રકરણથી નિશ્ચિત થયું કે આ ગ્રંથમાં ગેલેકયનાથ તીર્થકરની વ્યવસ્થિત રીતિએ મૂર્તિપૂજાની સિદ્ધિ કરી છે. અને જૈન શાસ્ત્રમાં ચાર નિક્ષેપથી નકકી કરવાની ત્રિકાલાબાધિત નિર્ણત વ્યવસ્થા પણ છે. એટલે મૂર્તિ શબ્દથી જિનેશ્વર ભગવતિની મૂર્તિ અને તેની પૂજા સંબંધનું વર્ણન આ ગ્રંથમાં સુસ્પષ્ટ છે, અને તેથી જ આ ગ્રંથનું નામ મૂર્તિપૂજા એ ગુણ નિષ્પન્ન સાર્થક નામ છે; તે ગ્રંથના નામને નીતિ રીતિથી હવે આપણે તપાસીએ. '
સ્થાપનાદિ નિક્ષેપની સત્યતા મૂતિ વિષયક નામ–આકાર-દ્રવ્ય અને ભાવ એ ચારમાંથી ફક્ત એક વ્યવસ્થિત થયેલ ભાવ પૂજ્યપણે નિશ્ચિત થયે હેય તે તે મૂર્તિના નામાદિચાર પણ જરૂર પુજ્ય સ્વરૂપે જ માનવાના સ્વીકારવાના હેય છે. આ વાતને સુસ્પષ્ટ કરતાં બહુ મૃતધર–શાસનમાન્ય ન્યાયાચાર્ય શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ સ્થાપના નિક્ષેપને પંચાંગી પ્રમાણે સિદ્ધ કરતાં દેઢ ગાથાના સ્તવન પૈકી છ ઢાલ મણે પ્રથમ ઢાલની ગાથા ૧રમાં જણાવે છે કે – શુદ્ધ ભાવ જેહને છે તેહના, ચાર નિક્ષેપો સાચા; જેહમાં ભાવ અશુદ્ધ છે તેહના, એક કાચે સવી કાચા, જિ.
આ ઉપરની ગાથામાં જે પદાર્થને ભાવ શુદ્ધ છે તેના ચાર નિક્ષેપાશુદ્ધ છે, પરંતુ જે પદાર્થને ભાવ અશુદ્ધ છે તે પદાર્થને એક
ભાવ નિક્ષેપ કા હેવાથી સર્વ નિક્ષેપ અશુદ્ધ-કાચા સમજવા. , જે ભાવને અનુસરીને મૂર્તિ–(આકાર–સ્થાપના–બિંબ–પ્રતિમા–
પ્રતિબિંબ) બની હેય તે મૂર્તિનાં દર્શન-પૂજન-સત્કાર-સન્માનાદિ . સ્વરૂપે પૂજા પ્રવર્તે તેમાં નવાઈ નથી, કારણ કે જેહ મૂર્તિ વિષયક
ભાવ સત્ય સાચે નિર્ણત છે, તેના નામ, દ્રવ્ય, આકાર પણ સત્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org