________________
મૂર્તિપૂજા
૧૮૧ (૫) આચાર્ય ગન્ધહસ્તીસૂરીની ટીકા પણ કાલક્રમથી સાધુઓને કઠીન પડવા લાગી ત્યારે વિ. સં. ૯૩૩ માં શ્રી શીલાંગાચાર્ય પૂર્વ ટીકાને સ્વલ્પ વિસ્તારવાળી અને સરલ બનાવી. તેમાંથી પણ આચારાંગ અને સુયડાંગ એ બે અંગોની ટીકા સીવાય બાકીનાં નવ અંગેની ટીકા વિધમીચેના અત્યાચારપૂર્ણ આક્રમણના કારણે અનુપલબ્ધ થઈ.
(૬) નવ અંગેની ટીકાના અભાવથી વિ. સં. ૧૧૨૦ માં ચંદ્રકુલીય આચાર્ય અભયદેવસૂરીએ શાસનદેવીની પ્રેર@ાથી તેની સહાયતા વડે નવ અંગે પર પુનઃ ટીકાની રચના કરી જે અત્યારે વિદ્યમાન છે.
(૭) શ્રી શીલાગાચાર્ય કૃત બે અંગેની ટીકા પણ અલ્પાને માટે કઠીન થઈ પડી ત્યારે વિકમની સોળમી શતાબ્દીમાં આચાર્ય નિહંસસૂરિએ આચારાંગસૂત્ર ઉપર એક દીપિકા રચી તેઓશ્રી ફરમાવે છે કે –
"शीलांगाचार्यरचिता, वृत्तिरस्तिसविस्तरा श्रीआचारांगसूत्रस्य दुर्विगाह तरंगतः अनुगृहाथै सभ्यानां व्याख्यातृणांसुखावहा श्रीजिनहंससूरीन्दैः क्रियतेस्म प्रदीपिका
શ્રી આચારાંગસૂત્ર પૃષ્ઠ 2 (૮) શ્રી શીલાંગાચાર્ય એવં શ્રી અભયદેવસૂરિકૃત ટીકાઓ અને જિનહિંસસૂરિ રચિત દીપિકા પણ જયારે કેને કઠીન લાગી, સાધારણ જ્ઞાનવાલા મનુષ્યને તેને લાભ ઉઠાવવાને અસમર્થ લાગે ત્યારે વિકમની સેળમી શતાબ્દીમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org