________________
મૂર્તિપૂજા
૧૭ વર્ણનને સ્થાન દઈ શકાયું ન હતું. વળી તે ધર્માચાર્યોએ ન્યાય-વ્યાકરણ તર્ક-છન્દ-અલંકાર-જ્યોતિષાદિ સાહિત્યના ગ્રંથે પણ બનાવ્યા હતા. આજે જૈનસમાજની સંખ્યા ઓછી હેવા છતાં પણ સર્વસમાજમાં જેનેનાં આસન ઉંચાં છે તે ફક્ત પૂર્વાચાર્યોના નિર્માણ કરેલા સાહિત્યનું જ પરિણામ છે. એ રીતે જૈન સાહિત્ય સમુદ્ર જેટલું હતું જેમાં આજે ફક્કત એક બુંદ બરાબર બાકી રહ્યું છે. વચ્ચેના સમયમાં કઈ જ્ઞાન ભંડારેને અનાય લેકે જ્યાં ત્યાં નષ્ટ કર્યા, યવનેએ જૈનશાસ્ત્રોને ભઠ્ઠિઓમાં બાળી નાખી ગરમ પાણી કરી તે પાણીથી સ્નાન કર્યા. ઘણા દિવસે સુધી ધર્માધ યવનોએ ભારતીય સાહિત્યની હેળીયાં સળગાવી ઉત્તમોત્તમ સાહિત્યને નષ્ટભ્રષ્ટ કર્યા. તેમાંથી યત્કિંચિત બચેલા સાહિત્ય માટે પણ જૈનસમાજ આજે પિતાનું સૌભાગ્ય સમજે છે.
પૂર્વોકત દુઃખદ અને વિકટ પરિસ્થીતિને પાર કરી જે સાહિત્ય બચ્યું છે તેની જન-જૈનેતર-પૌર્વાત્ય અને પાશ્ચાત્ય વિદ્વાન લેક મુકત કઠે ભૂરિ ભૂરિ પ્રશંસા કરી રહ્યા છે. એ સ્થિતિમાં આજે મહાવીરના અનુયાયી કહેવાતે કેટલાક સમુદાય તે સાહિત્યમાં પણ અનેક પ્રકારની ત્રુટિનાં સ્વપ્ન સેવી રહ્યો છે, તે કેટલી દુઃખ અને ખેદની વાત છે. તે લેક કયારે ય વળી એમ કહે છે કે અમે આટલાં જ સૂત્ર માનીયે છીયે, બાકીનાં નહિ. વળી ક્યારેક કહે છે કે અમે મૂળસૂત્ર માનીયે છીયે પરંતુ નિયુકિત-ટીકા આદિ નથી માનતા. તે લોકોને તે નિર્યુકિત અને ટીકા એક બચ્ચાના ખેલ લાગે છે હવે આપણે એ પણ વિચારીએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org