________________
મૂર્તિ પૂજા
૧૫૪
છે. જો તમે લેાકેા લેાંકાશાહના અનુયાયી તરીકેનું અભિમાન ધરાવતા હા તે લેાંકાશાહના મૂળ સિદ્ધાંતા યા— દાનના તમારે પણ ઉચ્છેદ કરી તેરાપંથી સાથે સહમત થઈ જવુ જોઈએ.
વળી મી. ગાંધી સાચાં હતાં તેટલાંજ સૂત્રો લાંકાશાહે માન્ય કર્યાનુ કહે છે જ્યારે સ્થાનકવાસી રૂષિ . અમેલખષિજી લખે છે કે ૩૨ સૂત્રો સિવાય બધાં સૂત્રોના વિચ્છેદ થયા હતા એટલે ૩૨ સૂત્રેા માન્ય રખાયાં છે. તા પછી ૩૨ સિવાયનાં બીજા સૂત્રેાની સત્યાસત્યના સવાલજ કાં રહ્યો ? ત્યારે આ બન્નેમાં સાચુ કાણુ ? માટે કહેવુ પડશે કે જે જેને જેમ ફાવ્યું તેમ લખી નાંખ્યું છે. અમેલખષિની વાત પણ વ્યાજમી ઠરતી નથી, કારણકે લેાંકાશાહની જન્મની પહેલાંના પણ હસ્તલેખિત સૂત્ર આજે પ્રાપ્ત છે. આથી સિદ્ધ થાય છે કે લેાંકાશાહે પોતાના માટે અલગ ૩૨ સૂત્રેા લખ્યાની વાત મીલ્કુલ ગલત છે.
જૈનાગમ મૂળ તે અધમાગધીમાં અને તે પરની ટીકા સસ્કૃતમાં છે. લાંકાશાહ તા એ ભાષાની અનજ્ઞિતાને કારણે એ આગમ સૂત્રેાથી પરાઙમુખ હતા. પછી સૂત્રમાં સત્યા સત્યની પરીક્ષા કરી ૩૨ સૂત્રેા નીર્ણિત કર્યાની વાત સત્ય કેવી રીતે માની શકાય ? અને તેથી જ લેાંકાગચ્છી સંપ્રદાય પાછળથી તુરત જ મૂર્તિપૂજાને સ્વીકાર કરી ૫'ચાંગી માનવા લાગ્યા. ૩૨ સૂત્રોની માન્યતા કેવી રીતે થઈ તે આગળના પ્રકરણમાં જણાવીશું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org