________________
૧૪૭
મૂર્તિપૂજા કેઈકને કઈ રૂપમાં કાશાહનું મહત્ત્વ ભર્યું જીવન પ્રકાશિત કરી દે તે એ કાર્ય નૈતિકતાથી જરૂર વિરૂદ્ધ કહેવાય.
સ્થાનકવાસી યુવક લેખકને સાધારણ વ્યક્તિઓનાં પણ જીવન ચરિત્રો વાંચી કદાચ મનમાં એ ભાવના પિદા થવી સ્વાભાવિક છે કે અમારા ધર્મ સ્થાપક ગુરૂ શ્રીમાન લોંકાશાહનું જીવન આજપર્યત પણ અધેરમાં કેમ? અમારે પણ તેમનું સુંદર જીવનચરિત્ર બનાવવું જોઈએ એ વિચાર કરી લોંકાશાહનું જીવનચરિત્ર લખવા તે બેસે પણ તેને સર્વાગ સુંદર બનાવવાને વાસ્ત તદ્વિષયક સામગ્રીની જરૂર તે પડે જ. સ્થાનક માર્ગી પાસે તે સામગ્રીને સર્વથા અભાવ છે. લંકાશાહના જીવન વિષયમાં જે કઈ આધાર પ્રમાણ મળે છે તે લેકશાહના સમકાલીન તેમના પ્રતિ પક્ષિયનાં લખેલાં મળે છે. એ પ્રમાણે ચાહે સર્વશે સત્ય હેય પણ સ્થાનક માગી સમાજને તે પર વિશ્વાસ નથી.
લોકશાહના જીવન ઈતિહાસના વિષયમાં લંકાગચ્છીય શ્રી પૂજ્ય યતિવર્ગની પાસે અનેક પટાવલિ વીગેરે આજ પણ વિદ્યમાન છે. પરંતુ સ્થાનક માર્ગીઓને તે રૂચિકર નથી. કારણ કે તે પટાવલિમાં આખેય દિવસ મુહપત્તિ આંધવાને નિર્દેશ નથી. વળી લોકાશાહની માન્યતાથી અને પરમ્પરાગત આચાર વ્યવહારની વિરૂદ્ધ ચાલવાથી શ્રીમાનું ધર્મસિંહજી અને લવજી નામના યતિને ગચ્છ બહાર કર્યાને પણ ઉલ્લેખ એ પટાવલિયામાં અંકિત કરાએલ છે. એ સ્થિતિમાં સ્થાનક માગી સમાજને પિતાના પૂર્વજોની સત્ય સ્થિતિ (નિંદા) બતાવવાવાળી પટાવલિયે કયાંથી પસંદ હોઈ શકે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org