________________
મૃતિપૂજા વિજય હીરસૂરિજીની પાસે જૈન દીક્ષા સ્વીકારી હતી. વળી ઉપાધ્યાય ધર્મસાગરજીના મતાનુસાર પૂજ્ય મેઘજી સીવાય પણ પૂજય શ્રીપાલજી આદિ ઘણુ સાધુઓએ આચાર્ય હેમવિમલસૂરિની પાસે પણ જૈન દીક્ષા સ્વીકારી હતી. અને. પૂજ્ય આનન્દજી સ્વામીએ કેઈ સાધુઓની સાથે આચાર્ય આનંદ વિમલ સૂરિની પાસે પુનઃ દીક્ષા ગ્રહણ કરી હતી.
આ સિવાય કાગરછમાં રહેલા બાકીના સાધુઓએ પણ મૂર્તિ પૂજાને શાસ્ત્ર સમ્મત માની પોતપોતાના ઉપા શ્રામાં મૂર્તિની સ્થાપના કરી હતી. અને લંકાશાહ દ્વારા નિષેધ કરાયેલી સર્વ ક્રિયાઓને પોતાના મતમાં ફરી સ્થાન આપ્યું. એ રીતે માત્ર લેકશાહના નામની સ્મૃતિ રૂપે કેવલ લંકાગચ્છ નામ રહી ગયું છે. આ સમયે સ્થાનકવાસીઓ પિતાને લોકશાહના અનુયાયી હોવાનું બતાવે છે પરંતુ તેઓને લોંકાશાહના અનુયાયી કહી શકાય જ નહિ. કારણ કે તેઓ (સ્થાનક વાસીઓ) તે લોકાગચ્છના યતિઓએ ગ૭ બહાર કરેલા યતિ લવજી અને ધર્મસિંગ હના અનુયાયી છે. લેકશાહના અનુયાયી અને લવજીના અનુયાયીઓમાં બહુ જ શત્રુતા હતી અને તેઓ આપસમાં એક બીજાને ઉસૂત્ર પ્રરૂપક, નિબ્લવ અને મિથ્યાત્વી બતલાવી રહ્યા હતા. લવજીના અંગે તે લોકાગચ્છની પટાવલિમાં એવું લખ્યું છે કે- લવજી ઉસૂત્ર પ્રરૂપક-ગુરૂનિંદક, મુખ ઉપર મુહપત્તિ બાંધી તીર્થકરેની આજ્ઞાને ભંગ કરી કુલિંગ ધારણ કરનાર છે.” આ હાલતમાં સ્થાનક માગી સમાજ લેકશાહના અનુયાયી કેવી રીતે કહી શકાય?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org