________________
મૂર્તિ પૂજા
૧૩૫ પણ નિષેધ કર્યો છે. આ બધાં શુભ અનુષ્ઠાનનું વિરોધ કરવાનું કારણ કાંઈ સમાજની કે ધર્મની ઉન્નતિ યા દયાધર્મ ન કહી શકાય. પરંતુ કેઈ કારણસર તે લંકાશા તે વખતના યતીઓથી અપમાનીત થયા હોય અગર તે યવનને સંયોગ મળવાથી જૈન ધર્મના વિરૂદ્ધ ને મત ચલાવ્યું હોય તે બનવાજોગ છે. હવે લોકાશાહે ન મત કેમ શરૂ કર્યો તે કારણ ઈતિહાસિક વિષયો દ્વારા તપાસીએ એ ઉપરથી વાંચકને સમજાશે કે એ મતની ઉત્પત્તિ વ્યાજબી હતી કે ગેર વ્યાજબી હતી?
લોકશાહ યતિઓના ઉપાશ્રયમાં લહિયાનું કામ કરતા હતા. તેની મજુરીના પૈસા શ્રાવકે જ્ઞાન ખાતામાંથી આપતા હતા. એક વખતે પુસ્તકની લખાઈના પૈસા આપી દેતાં સાડા સત્તર દેકડા બાકી રહ્યા. તેથી શ્રાવકે અને . લંકાશા વચ્ચે આપસમાં તકરાર પેદા થઈ
લંકાશા યતિઓની પાસે ગયા. યતિઓએ કહ્યું કે, લંકા ! અમે તે પૈસા રાખતા નથી, માટે શ્રાવકેથી તમારા હિસાબ કરી લે. એ સાંભળી લોકાને ગુસ્સો આવ્યો અને તે સાધુઓની નિન્દા કરતા કરતા એક હાટ ઉપર આવીને બેઠા. ત્યાં એક મુસલમાન લહિયા મુસલમાનોનાં પુસ્તક લખતો હતું અને લોકાશાહને મિત્ર હતું, તે ત્યાંથી નીકળે. તેણે લેકશાહને પૂછ્યું કે હે શાહ લેકા ! તારા કપાલ પર શું છે? કાશાહે કહ્યું કે મંદિરને સ્તંભ (તિલક) છે. તે વખતે સૈયદે કાશાહને નાસ્તિકતાને ઉપદેશ આપે જેથી ભેંકાશાહની બુદ્ધિમાં વિકાર થશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org