________________
શંકા સમાધાનમાં એકનું મંડન કરતાં શું અન્યનું ખંડન સ્વયં નહિ આવી જાય ત્યારે કહો કે રૂચિભિન્નતાથી અક્યતા કેવી રીતે સ્થાયી ટકી શકશે?
આજે જમાનાને નામે અકયતાની ઝંખના કરનાર મહાશય વિચારે કે આજનો જમાને બુદ્ધિવાદને છે. એક જમાને એ વીત્યે છે કે માત્ર શ્રદ્ધાને જ હતું. તે જમાનાની જનતા એમજ સમજતી હતી કે રૂચિભિન્નતા ભલે હોય પણ ગમે તેમ તેય મહાવીરના અનુયાયી એકજ છે. જ્યારે આજે આપણે કદાચ એમ ચલાવી લઈશું પણ સત્યાસત્યનો વિવેક કરી શકવાની તાકાત ધરાવનાર કેઈપણ આત્મા એમ કબુલે તેમ નથી કેસર્વ મત સમાન છે, સર્વ મત ‘ઉપાદેય છે, અગર કેઈપણ મત અનુપાદેય નથી. એ તે એમજ. કહેશે કે સર્વમત કેઈપણ કાળે ઉપાદેય હેઈ શતા જ નથી. અને ઉપાદેય હેય તેને ભિન્ન મત કહી શકાય જ નહિ. વળી એ તે આગળ વધીને એમજ કહેશે કે સર્વમત ઉપાદેય છે, એકેય અનુપાદેય નથી તે એકજ મહાવીરના અનુયાયીઓમાં ધાર્મિક અનુષ્ઠાન–સાધુવેશ-ઉપદેશ વગેરે એકજ કરી નાખે. પરંતુ ઉપરથી એકજ માનનારા આપણે અંતરથી તે ભિન્નતા જ સમજતા હેઈ એક સરખી રૂચિ-પ્રવૃત્તિ કરી શકતા નથી. જેથી આજે કેટલાય જેને આપણું રૂચિભેદથી કંટાળી માત્ર નામધારી જૈન તરીકે રહી આરાધનાના માર્ગથી દૂર જ રહે છે. આ હિસાબે રૂચિભિન્નતાના સંયેગેમાં અકયતા ટકાવવી આપણને માટે ખૂબ જ મુશ્કેલ છે. એટલે આપણે તે એ જ ઈચ્છીએ છીએ કે એ સમય ક્યારે આવે કે જૈન તરીકે કહેવા વર્ગ એકજ રૂચિને ધારણ કરનાર બને, દરેકની સાધના એક સરખી જ ચાલે અને તેવી એક સરખી સધાતી સાધના દ્વારાએ લેશમાત્ર પણ ભિન્નતા કેઈને લાગે નહિ. આ સંયોગોમાંજ સાચી એકયતા ચિરસ્થાયી બની રહેશે. સામાન્ય સામાન્ય મતભેદથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org