________________
મૂર્તિપૂજા
૧૧૭ વિચાર કરે તે જરૂર સમજાશે કે આત્માને વિકાસ સાધવા કે સાચી માનવતા કેળવવા જિનમૂતિ સમાન અન્ય કઈ આલંબન વર્તમાનકાળે નથી જ, આજે તે પંથી તરીકે કહેવાતાઓમાં પણ ઘણાઓને મૂર્તિપૂજા એગ્ય લાગે છે પણ સમાજના બંધનની દાક્ષીયતા તેમને નડે છે એટલે પ્રગટ રીતે હંમેશાં પ્રતિમાપૂજન નહિ કરતાં કઈ કઈ વખતે તીર્થસ્થળોએ જઈ ભકિતનો લ્હાવ માણે છે, માટે સમજવું જોઈએ કે દાન-શીલ–તપ અને ભાવ એ ચારે પ્રકારના ગુણે કેળવવા એ ગુણોની આત્માને ખાસ જરૂર છે એવા પ્રકારની પ્રતિતી દ્રઢ કરવા જિન પ્રતિમાનું ધ્યાન ખાસ જરૂરી છે. ( જિનમંદિરની પણ ખાસ આવશ્યકતા.
પ્રતિમાઓની ભક્તિ માટે મંદિરે કે દહેરાસરની પણ ખાસ આવશ્યક્તા છે. કઈ પણ શુભ પ્રવૃત્તિ તેને માટેના અલગ સ્થાન. વિના અનુકુળ થઈ શકતી નથી. શિક્ષણ લેવા માટે નિશાળ-કેલે આદિનાં સ્વતંત્ર મકાનેની આવશ્યક્તા સૌથી પ્રથમ પડે છે, તેમ દેવભક્તિગુરૂભકિત કે ધર્મક્રિયા આદિ કરવા માટે પણ અલગ સ્થાનેનું નિર્માણ થયા વિના તે ભકિત આદિની ક્રિયાઓ નિવિદને થઈ શકે નહિ. બીજાં કાર્યો જેમ જરૂરી છે તેમ દેવભક્તિ ઘણી જરૂરી છે, અથવા તે બીજા બધાં કાર્યો કરતાં દેવભકિત અધિક જરૂરી છે. એમ માનનાર વર્ગ અનેકાનેક સગવડપૂર્વક દેવભક્તિ થઈ શકે તેવાં મને હર અને રમણીય ચૈત્યસ્થાનેની મંદિરની જરૂરીયાત સ્વીકાર્યા વિના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org