________________
૧૧૪
મૂતિ પૂજ મૂર્તિપૂજા પ્રત્યે અરૂચિ ધરાવવાથી થતું નુકસાન
શ્રી જિનેશ્વર ભગવાનની મૂર્તિપૂજાને નહિ માન્ય. કરનારાઓ જિનેશ્વર દેવની દ્રવ્યપૂજાથી વંચિત રહે છે, જેથી તેમના દ્રવ્યને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવામાં અને કરાવવામાં મહાન સાધનભૂત શ્રી જિનમંદિરના કાર્યોમાં થતા વપરાસ બંધ થઈ જાય છે, અને શ્રી જિનમંદિરે જઈને પ્રભુભક્તિ નિમિત્તે પિતાના સમય અને દ્રવ્યને સદુપયોગ કરનાર પુણ્યવાન આત્માઓની ટીકા અને નિંદા કરવાનું કાર્ય વહેરી ઘોર પાપ ઉપાર્જન કરે છે, અને તેથી તેવા આત્માઓને બોધિ દુર્લભતાદિ મહાન દેષની પ્રાપ્તિ થાય છે. સંસારવૃદ્ધિ કરાવનાર મૂર્તિપૂજનની શંકાના કદા
ગ્રહનો ત્યાગ કરવો જોઈએ. અનંતકાળથી ભવચક્રમાં ભ્રમણ કરતાં માનવ ભવાદિ ઉત્તમ સામગ્રી મળી છે. તેમાં જિન પ્રતિમામાં શંકા રાખ નાર અથવા નહિ માનનાર પાછા અનંતકાળ બ્રમણ કરે છે. સૂત્રને એક અક્ષર ઉત્થાપન કરનારને અનંત સંસારી કહ્યો છે, તે પછી ઠેકાણે ઠેકાણે સૂત્રમાં કહેલા જિન પ્રતિમાને વંદન કરવાના તથા પૂજા કરવાના અધિકારને ઉસ્થાપન કરનારાઓને કેટલો સંસાર વધી જાય તે સૂમ બુદ્ધિથી વિચારવું જોઈએ, પ્રથમથી પકડી રાખેલ તે અમારાથી કેમ મૂકાય તેવા ખોટા કદાગ્રહમાં મુંઝાઈ રહેવાથી આત્માને ભવચક્રમાં નરકાદિ દુર્ગતિના અસહ્ય દુઃખ સહન કરવાં પડશે. કદાગ્રહ મુકવામાં તો દુઃખ લેશ માત્ર થતું નથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org