________________
૧૧૨
મૂર્તિ પૂજા
દ્વારા નિમિત્ત બને છે તેમ જિનેશ્વરની પૂજા ઈત્યાદિ દ્વારા પૂજકના પરિણામની નિર્મળતા ઈત્યાદિને સાધી શકાય છે. શ્રી વીતરાગની સાક્ષાત–ઉપાસના-પૂજા પણ જેમ શ્રી વીતરાગને લેશ માત્ર ઉપકાર કરનારી નથી અને તેમ છતાં જેમ પૂજકને માટે તે ઉપકારક થાય છે, તેમ શ્રી વીતરાગની પ્રતિમાની પૂજા-સેવા-ભક્તિ પણ શ્રી વીતરાગને કંઈ પણ લાભદાયક નહિ હોવા છતાં પૂજકને તે અવશ્ય લાભ કરે છે. કારણકે એ દ્વારા પૂજકને ગુણ બહુમાન, કૃતજ્ઞતા, વિનય ઈત્યાદિ ગુણોનું પાલન અવશ્ય સિદ્ધ થાય છે. દેષ નિવારણ અને ગુણપ્રાપણ આદિની પ્રેરણા પણ અવશ્ય થાય છે અને એ એકએક કારણે અનંતી કર્મ નિજેરાને સાધી આપનાર છે, માટે જેમ સાક્ષાત તીર્થંકરના દેહની પૂજાસેવાએ સમ્યગ્દર્શનાદિ ગુણની પ્રાપ્તિનું નિમિત છે તેમ તીર્થંકર પરમાત્માની મૂર્તિની પૂજા–સેવા પણ તે ગુણેની પ્રાપ્તિનું નિમિત્ત છે. વસ્તુ સ્વરૂપ સમજવા માટે આકારની જરૂર રહેજ.
અનુપસ્થિત પ્રત્યેક વસ્તુનું યથાર્થ સ્વરૂપ કેવળ તેના નામ દ્વારા જાણી શકાતું નથી પરંતુ આકાર દ્વારાજ જાણું શકાય છે. જેમ એક સરખી સંખ્યાની બાદબાકી કરતાં કાંઈ રહેતું નથી (જેમકે પચીસમાંથી પચીસ બાદ કરીએ તે કંઈ બાકી રહે નહિ તે છતાં ૦૦ બે મીંડાં મૂકાય છે) તે પણ કાંઈ રહે નહિ તે જણાવવાને મીડું મૂકીએ છીએ, એટલે જે કાંઈ નથી તે પણ તેને જણાવવા માટે મીંડાં રૂપી આકૃતિ મૂકાય છે. તે પછી જે નિર્મળ સ્વરૂપવાળા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org