________________
મૂર્તિપૂજા
૧૦૭ લાભ અને એકમાં ગેરલાભ કેમ માની શકાય? હવે અમુક જડ વા ચેતન પદાર્થને ઓળખવા માટે સંકેત કરેલા અમુક આકારમાં લખો તે (લખવાને માટે સંકેત કરાયેલા આકારરૂ૫) લિપિવર્ણાત્મક અતદાકાર મૂર્તિ કહેવાય.
એમાં અ, ઈ, , ક, ખ, ગ, ઈત્યાદિ (લખવા માટે) સંકેત કરાયેલા આકારરૂપ લિપિઓ પણ અનેક પ્રકારની છે. તેમાંથી હરકોઈ લિપિથી અમુક જડ વા ચેતન પદાર્થને ઓળખવા સારૂ જે શબ્દ લખાતે હેય તે શબ્દ લખવાથી અથવા વાંચવાથી તે તે જડ વા ચેતન પદાર્થને બોધ થાય છે. માટે તે લિપિ તે જડ વા ચેતન પદાર્થની વર્ણાત્મક મૂર્તિ જ કહેવાય છે. જેમકે પરમેશ્વર God એ ત્રણ લિપિમાં લખાયેલા આકારે પરમેશ્વરને ઓળખાવે છે અને મુંબઈ કુંવર Bombay એ ત્રણ લિપિમાં લખાયેલા આકાર સમુદ્ર કિનારે આવેલા સમૃદ્ધિવાળા મુંબઈ શહેરને ઓળખાવે છે, માટે એ પરમેશ્વર અને મુંબઈને ઓળખાવના સંકેતિક આકારે તે વર્ણાત્મક અતદાકાર મૂર્તિ છે. પુનઃ અસદશ આકારવાળા ધાતુ પાષાણાદિકમાં દેવાદિકને આપ કરી દેવાધિરૂપે માનીયે તે (તવ્યતિરિક્ત) મૂર્તિરૂપ ત્રીજા ભેદનું વર્ણન પ્રથમના બીજ મૂળ ભેદ વખતે કહી ગયેલ છે. આ મૂર્તિ વિના પણ જગતને વ્યવહાર બિલકુલ ચાલી શકતું નથી. આવી રીતે આખા વિશ્વને વ્યવહાર અને ધર્મ એ-બે-મૃતિને આધારે છે છતાં હઠવાદ કરી મૂર્તિ માનતા નથી એમ કહેવું તે કેવળ ધીઠાઈ છે. વળી એ લિપિના ગુજરાતી લિપિ શાસ્ત્રી લિપિ બંગ લિપિમરાઠી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org