SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સામે જે પ્રચાર કરી રહ્યા છે તે પ્રચારને પણ રિધ થશે. અસત્ય વસ્તુની અસત્યતા પૂર્વાચાર્યોએ જગત સમક્ષ ખુલ્લી ન કરી હેત તે આજે સ્વેચ્છાએ મત પ્રવર્તકને રાફડો ફાટ્યો હોત. અને તેથી જ સાધુ વર્ગમાં પણ પાર્શ્વસ્થ-અવસગ્ન-શિલ–સશક્ત, અને યથા છંદ એ પાંચ પ્રકારના સાધુઓને અવંદનીય જાહેર કર્યા છે. તેવાઓ પ્રત્યે ઐકયતાની કે તેઓનું ખંડન નહિ કરવાની બુદ્ધિ રખાઈ નથી. એજ્યતાની બુમ પાડવાથી એકયતા સાચવવાની નથી. આજે એક્તા કરવાની વાતે સહુ કરે છે. કેઈપણ સમજુ મનુષ્ય જગતમાં એકતાને ન જ ઈચ્છે એવું બને જ નહિ. એકની દ્રષ્ટિએ અન્ય માણસ એક્તાને વિરોધી ભલે લાગતો હોય પરંતુ વાસ્તવીક રીતે તે એકતાને વિરોધી નથી જ સાચી એક્તા સાધવાનું ઇચ્છનારે એક્તા કેમ રહેતી નથી તેનું મૂળ વિચારવું જોઈએ. મૂળને છોડી ડાળીયે વળગવાથી કંઈ વળવાનું નથી. આજે એકતાની વાતને વાવંટોળ ચાલી રહ્યો છે, તેમ છતાં એક્તા ટકતી નથી તેનું મૂળ કારણ રૂચિને ભેદ છે. એ રૂચિભેદના હિસાબે અમુક વખત સુધી કદાચ એક્તા ટકી રહે છે પણ તે ભારેલા અગ્નિ જેવી છે. કાયમી રહેવા પામતી નથી. જેઓ એકતાના સાચા ઈચ્છક હોય તેઓ એ રૂચિને ભેદ ટાળવાને પ્રથમ પ્રયત્ન કરવો જોઈએ. રૂચિને સમાન બનાવ્યા સિવાય એકમતિ બનવાને પ્રયત્ન ફલીભૂત થવાને જ નથી. રૂચિની એકતા કરવાનો પ્રયાસ કર્યા સિવાય જ એકતા સ્થાપવાની વાતે નિષ્ફળ જ નીવડવાની છે. રૂચિભેદ ટાળ્યા સિવાયની એક્તા, કહેવું પડશે કે ન્યાય બુદ્ધિમાંથી જન્મેલી હોવા છતાં પણ ન્યાયબુદ્ધિ સમાન દેખાતી એ ઐકયતાબુદ્ધિ ઘણીવાર સત્યનું જ ખૂન કરનારી હોય છે. - જે સત્યમાર્ગની પ્રરૂપણ અનાદિ કાળથી જગતમાં ચાલી આવતી હોય, માનવસમાજ એજ માર્ગે ચાલી સ્વકલ્યાણ સાથે જતો હેય. તે માર્ગને અસત્ય કહેનાર કોઈ નુતન વર્ગ ઉપસ્થીત થાય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy