________________
સૂતિ પૂજા નિસિહી બેલી દ્રવ્યપૂજા શરૂ કરે, તેમાં મૌનપણે તમામ કાર્ય કરે અને જરૂર પડે નિર્દોષ વચન ખપ પૂરતાં બેલી શકાય. આ કાર્ય પુરૂં થયા બાદ ભાવપૂજાની શરૂઆતમાં ત્રીજી નિસિહી કહે છે. આ અવસરે પૂજા કરનાર ભવ્ય શ્રાવકનું જીવન મને ગુપ્તિ, વચનગુપ્તિ, કાયપ્તિમાં જોડાય છે. તેમજ પૂજક પાંચે ઇંદ્રિયોને પણ કાબુમાં સહેજે રાખી શકે છે. તેથી શબ્દાદિ વિષય તરફ મન જતું જ નથી. તેમજ –
वपुश्च वसनं चैव, मनो भूमिस्तथव च । पूजो पकरणं न्याय्यं, द्रव्यं विधि क्रिया तथा॥
આ પાઠથી વસ્ત્રશુદ્ધિ આદિ સાત પ્રકારની શુદ્ધિ જાળવવી જોઈએ. શરીરે ખણું શકાય નહિ, થુંકાય નહિ, તેમજ કેઈપણ પ્રકારની લગાર પણ (શીલબાધક) કામ (શૃંગાર) ચેષ્ટા વગેરે થઈ શકે જ નહિ. આવી રીતે ત્રણગુપ્તિ વગેરે વર્તન જાળવે તેજ સાચી નિસિહી કહેવાય, તે સિવાય નહિ. એમ ત્રણ નિરિસહીની સૂચનાથી સમજાય છે કે અમુક અંશે આશ્રવ ન સેવવા એ નિયમ જળવાય છે. આ તમામ બીના સૂક્ષમ દ્રષ્ટિથી વિચારીશું તો સમજાશે કે આ પૂજનકાલમાં પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચે અણુવ્રતની આંશિક આરાધના રહી છે. તેમજ પૂજનના સમયે તિવિતિ નિરોત્ત વિ એટલે ત્રણ દિશા જેવાને ત્યાગ કરવાનું હોય છે એટલે પ્રભુની સામેજ જેવાનું હોય છે, આજુબાજુ વગેરે તરફ નજર કરાય જ નહિ.
એથી સમજવું જોઈએ કે છઠ્ઠી વ્રતની પણ આરા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org